જો તમને પણ રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઇ જવાની આદત હોય જલ્દીથી બદલી લો. રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઇ જવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચી શકે છે આ સિવાય લાંબા સમય સુધી આ રીતે સૂવાથી કેટલીક ઘાતક બીમારીઓ પણ થઈ શકે છે.
- આપણા શરીરને રાત્રે પ્રકાશની જરૂર નથી હોતી તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
- જે લોકો રાત્રે કમ્પ્યૂટર પર કામ કરે છે અને ઓછા પ્રકાશમાં ભણે છે તેમને સ્ટ્રેસ વધતો જ જાય છે. માથાનો દુખાવો આંખમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.
- રૂમમાં રોશનીના કારણે આંખો ભારે થઈ જાય છે અને વારંવાર ઊંઘ બગડે છે.
- લાઇટ ચાલુ રાખી સૂવાથી તેની સીધી અસર ઊંઘ પર પડે છે. શરીર જકડાઇ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે.
- સ્ટ્રેસ લેવલ વધવાના કારણે હ્રદય અને બ્લડપ્રેશર સંબંધી રોગ થવાની શક્યતા પણ વધી જાય છે.
વધી જાય છે બ્રેસ્ટ કેન્સરની શક્યતાઓ:
રાત્રે લાઇટ ચાલુ રાખી સૂવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા 20% જેટલી વધી જાય છે. શરીરને પ્રાકૃતિક રૂપે રાત્રે રોશનીની જરૂર નથી હોતી. સતત આ આદતથી શરીરને ઘણું નુકસાન પહોંચે છે. રાત્રે રોશનીથી શરીરની અંદરની કેન્સરની કોશિકાઓ એક્ટિવ થાય છે. અંધારામાં સૂતી સ્ત્રીઓમાં આ જોખમ ઘણા અંશે ઘટી જાય છે. આમ તો રોશની શરીર માટે દવાનું કામ કરે છે પરંતુ જરૂર કરતાં વધારે દવાઓનું સેવન પણ ઘાતક નીવડી શકે છે.