મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ઝાંસી-ખજુરાહો રોડ પર ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર પલટી જતાં એક વૃદ્ધ દંપતીનું મૃત્યુ થયું હતું અને તેમનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મધ્યપ્રદેશના ઝાંસી-ખજુરાહો રોડ પર અકસ્માત
કાર પલટી જતાં એક વૃદ્ધ દંપતીનું મૃત્યુ
ગાયને બચાવવાના પ્રયાસમાં કાર પલટી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ઝાંસી-ખજુરાહો રોડ પર ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર પલટી જતાં એક વૃદ્ધ દંપતીનું મૃત્યુ થયું હતું અને તેમનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. નૌગાંવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય વેદિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 22 કિલોમીટર દૂર બિલ્હારી ગામ પાસે શુક્રવારે મોડી રાત્રે થયો હતો, જ્યારે પીડિતો ઝાંસીથી છતરપુરમાં તેમના ઘર તરફ જઈ રહ્યા હતા.
ગાયનો બચાવ કરતા કાર પલટી
તેમણે કહ્યું કે, અંકુર અગ્રવાલ (27), જે ગાયને બચાવવાના પ્રયાસમાં કાર ચલાવી રહ્યો હતો, તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર સ્લિપ થઈને પલટી ગઈ. જેમાં પોતાને ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેમના માતા પિતાનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
બે વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ
શ્યામલાલ અગ્રવાલ (70) અને તેમની પત્ની મંજુ (60)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અંકુર ગંભીર રીતે ઘાયલ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકને કારમાંથી બહાર કાઢ્યો અને ઘાયલ વ્યક્તિને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.