ત્રીજી લહેરની આશંકાની વચ્ચે એક્સપર્ટ્સનો દાવો છે કે જો માતાપિતાએ કોરોના વેક્સિન લીધી હશે તો બાળકોને કોરોનાનું જોખમ નહીં રહે.
ત્રીજી લહેરની આશંકાની વચ્ચે મોટી ખબર
માતાપિતાએ વેક્સિન લીધી હશે તો બાળકોને કોરોના નહીં થાય
બાળકોને કોરોનાથી બચાવવા માતાપિતા માટે વેક્સિન લેવાની ભલામણ
નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પોલે જણાવ્યું કે ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે જોખમ હશે તેના કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માતાપિતાએ વેક્સિન લીધી હશે તો વાયરસ બાળકો સુધી નહીં પહોંચે.
હું નથી માનતો કે બાળકોને ત્રીજી લહેરમાં કોઈ ગંભીર અસર થાય
કોરોનાની ત્રીજી લહેરને લઈ બાળકો પર થવાની અસર વિશેની વાતોને AIIMSના નિર્દેશક રણદીપ ગુલેરીયા નકારી દીધી છે. તેમણે કહ્યું જે સમગ્ર દેશમાં અને ગ્લોબલ સ્ટડીમાં એવી વાતો થઈ રહી છે કે ત્રીજી લહેરમાં બાળકો પર ઘણી અસર થશે, પણ તેમણે આ બધી વાતો નકારી કાઢી છે અને કહ્યું જે બીજી લહેરમાં પણ બાળકો પર અસર થઈ હતી, પણ એ બધામાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે જે બાળકો ગંભીર થયા છે તે કોરોનાની સાથે સાથે બીજી બિમારીઓને કારણે થયા છે, હું નથી માનતો કે બાળકોને ત્રીજી લહેરમાં કોઈ ગંભીર અસર થાય.
ત્રીજી લહેર માટે કરી આ મોટી વાત
શું ખરેખર કોરોનાની ત્રીજી લહેર આવે તેનો વૈજ્ઞાનિક આધાર છે તો તેના જવાબમાં ડો. ગુલેરિયાએ કહ્યું કે તમે શ્વાસ સંબંધી વાયરસની વાત કરો છો તો આપણે જોયું છે કે તે લહેરોમાં આવે છે. 1918ની વાત કરીએ તો મહામારી આવી હતી અને તેમાં અનેક લોકોના મોત થયા હતી. અહીં પણ ત્રીજી લહેર આવી હતી. પણ આ સમયે બીજી લહેરની સમયે સંક્રમણ ઓછું હતું.
કોરોનાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વાયરસ લહેરોમાં એટલા માટે આવે છે કે જ્યારે કેસ ઘટે તો પાબંધીઓ ખોલી શકાય. લોકો નિયમોનું પાલન કરવાનું છોડી દે છે. તેનાથી વાયરસને ફરીથી ફેલાવવાનો મોકો મળે છે અને કેસ વધે છે. તેઓએ કહ્યું કે મહામારીને રોકવા કોરોનાના નિયમોનું પાલન જરૂરી છે. ભીડ ન થવા દો. અનલોક ધીરે ધીરે કરાશે તો ત્રીજી લહેરથી બચી શકાશે. આમ કરવાથી તેના પીકને ઘટાડી શકાશે. તેઓએ કહ્યું કે આપણે બ્રિટનથી સમજી લેવું જોઈએ કે અહીં કડક લોકડાઉન અને વેક્સીનેશનની ઝડપ છે તો પણ ત્રીજી લહેર જોવા મળી છે. વાયરસથી બચવા માટે આપણે લડવાનું છે. વાયરસ કોશિશ કરે છે કે એવુ મેકેનિઝમ બનાવે કે લોકોમાં ફેલાય પણ જરૂરી છે કે વેક્સીનેશન અને નિયમ પાલન કરાશે તો તેની ચેન તોડી શકાશે. નવા મ્યૂટેન્ટ આવે છે તો પણ 2 ગજની દૂરી રખાશે તો વેરિઅન્ટ ફેલાશે નહીં અને કેસ વધશે નહીં.