લોકડાઉનને લીધે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. હવે અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન કરદાતાઓ સરકાર પર ભરોસો રાખે અને યોગ્ય સમયે ટેક્સ જમા કરે તે માટે મોદી સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત આવતી કાલે ગુરુવારે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઈમાનદારો માટે સન્માન યોજના શરુ થવા જઈ રહી છે. આ યોજનાનો શુભારંભ પીએમ મોદી પોતે વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા કરશે.
ટેક્સ સુધારા હેઠળ CBDTએ અનેક પહેલ શરુ કરી છે
મોદી સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે
યોજનાનો શુભારંભ પીએમ મોદી પોતે વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા કરશે
સીબીડીટીએ હાલના વર્ષોમાં પ્રત્યક્ષ ટેક્સોમાં કેટલાય મહત્વના અને મોટા ટેક્સમાં સુધારો અમલમાં મુક્યો છે. ગત વર્ષ કોર્પોરેટ ટેક્સના દરોને 30 ટકા ઘટાડીને 22 ટકા કરી દીધો છે તથા નવા વિનિર્માણના એકમો માટે આ દરને વધુ ઘટાડીને 15 ટકા કરી દીધો છે. ‘લાભાશં વિતરણ ટેક્સ’ને હટાવી દેવામાં આવ્યો છે.
ટેક્સ સુધારા અંતર્ગત દરોમાં ઘટાડો અને પ્રત્યક્ષ ટેક્સના કાયદાના સરળીકરણ પર ફોકસ કરી રહ્યું છે. આયકર વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શિતા લાવવા માટે સીબીડીટી દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે. હાલમાં જ શરુ કરવામાં આવેલા ‘દસ્તાવેજ ઓળખ સંખ્યા’ના માધ્યમથી સત્તાધારી સંચારમાં વધારે પારદર્શિતા લાવવી પણ આ પાસાઓમાં સમાવિષ્ટ છે. જે અંતર્ગત વિભાગમાં દરેક સંચાર અથવા પત્ર વ્યવહાર પર કોમ્પ્યુટરાઈઝ એક અનોખા દસ્તાવેજની સંખ્યા અંકિત કરાશે. આજ રીતે કરદાતાઓને તેનું પાલન કરવું વધારે સરળ બનાવવા માટે આયકર વિભાગે હવે પહેલાથી ભરેલું રિટર્ન ફોર્મ પ્રસ્તુત કરશે. જેથી વ્યક્તિગત કરદાતાઓ માટે તે વધારે સુવિધાજનક સાબિત થાય. સ્ટાર્ટ અપ્સ માટે તેના માપદંડો વધારે સરળ બનાવ્યા છે.
જેમાં ડિજિટલ લેવળ દેવળની ચુકવણી તથા ઈલેક્ટ્રોનિક રીતને પ્રોત્સાહન આપવા માટેના અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. આયકર વિભાગે કરદાતાઓને ટેક્સ રિટર્નનો સમય પણ કોરોનામાં વધાર્યો હતો.
આ પ્રસંગે આયકર વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપરાંત વાણિજ્ય મંડળ, વ્યાપારી સંઘો તથા ચાર્ટર્ડ એકાઉન્ટેટ સંઘોની સાથે સાથે જાણીતા કરદાતાઓ પણ આ આયોજનના સાક્ષી બનશે. કેન્દ્રીય નાણા તથા કોર્પોરેટ કાર્યમંત્રી નિર્મલા સીતારમણ તથા નાતા તથા કોર્પોરેટ કાર્ય રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.