હાલમાં ભાગદોડ વાળી લાઇફમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. મોટાભાગે લોકો જંકફૂડ ખાતા થઇ ગયા છે. જેના કારણે દેશમાં લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી ગયું છે. તેમજ શરીરમાં પૂરતા પોષકતત્વો મળતા નથી. એવામાં અમે તમને જણાવીએ છીએ કે મેદિસ્વતા તમારે ઓછી કરવી હોય તો થાળીમાં કેટલી રોટલી હોવી જોઇએ અને ચોખાનું પ્રમાણ હોવું જોઇએ.
રોટલીમાં કાર્બન સિવાય ઘણા પ્રકારના માઈક્રો ન્યૂટ્રીઅન્ટ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે
1/3 બાફેલા ચોખામાં લગભગ 80 કેલેરી મળી આવે છે
ભારતીયોની ભોજનની થાળીમાં પ્રોટીનની માત્ર ઓછી અને કાર્બન વધારે પ્રમાણમાં મળી આવે છે, પરંતુ જો વ્યક્તિ પોતાનું જાડાપણુ ઓછુ કરવા માગે છે તો, પોતાના ભોજનમા કાર્બન યુક્ત આહારને ટાળવો જોઈએ. તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે ભોજનની થાળીમાં કેટલા પ્રમાણમાં કાર્બનની સાથે રોટીલી અને ચોખાનું પ્રમાણ કેટલુ હોવુ જોઈએ.
રોટલીમાં પોષણનું પ્રમાણ
રોટલીમાં કાર્બન સિવાય ઘણા પ્રકારના માઈક્રો ન્યૂટ્રીઅન્ટ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે. તેથી જ ઘણી વખત લોકો રોટલીના લોટને હવાલાથી ચાળ્યા વગર જ બાંધવાનો પસંદ કરે છે. તેવુ એટલા માટે કે, લોટમાં હાજર ફાઈબર તેમા નીકળી ન જાય. જો એક રોટલી કેલેરી કાઉન્ટની વાત કરવામાં આવે તો, તેમા લગભગ 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ વસા અને 71 કેલેરી મળી આવે છે.
ચોખામાં પોષણનું પ્રમાણ
1/3 બાફેલા ચોખામાં લગભગ 80 કેલેરી મળી આવે છે. જો કાર્બનની વાત કરવામાં આવે તો, તેમાં 18 ગ્રામ કાર્બ, 1 ગ્રામ પ્રોટીન અને 0.1 ગ્રામ ફેટ હોય છે.
રોટલી અને ચોખામા સારો વિકલ્પ શું?
ફોલેટ પાણીમાં ઘુલનશીલ એક એવુ વિટામિન છે, જે બોડીમાં નવા સેલનું નિર્માણ, DNAને બનાવવા માટે જવાબદાર હોય છે. ખાસ વાત છે કે, તેમાં પ્રચુર પ્રમાણા આયરન પણ મળી આવે છે. જો ચોખા અને રોટલીની તુલના કરવામાં આવે તો, રોટલીમાં ફાસ્ફોરસ અને મેગ્નેશિયમ ચોખાની અપેક્ષા વધારે પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ જ્યા બ્લડ પ્રેશર અને બ્લડમાં શુગર લેવલનું પ્રમાણ જાળવી રાખે છે અને ફાસ્ફોરસથી રેડ બ્લડ સેલ્સ અને આયરનની ખામી પૂરી થાય છે.