વજન ઘટાડવા માટે તમે ગ્રીન ટી, જીરાનું પાણી અથવા અન્ય ઘણા પ્રકારના પાણીનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે એલચીનું પાણી પણ તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપયોગ કેવી રીતે કરવો આવો તે જાણીએ....
વજન ઘટાડવા બેસ્ટ છે એલચીનું પાણી
આ રીતે કરો તેનો ઉપયોગ
ધડાધડ ઘટવા લાગશે વજન
એલચી એ એક લોકપ્રિય મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. એલચી ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મીઠાઈ હોય કે મસાલેદાર ભોજન, એલચી વગર ભાગ્યે જ કંઈ બની શકે. એલચી વાનગીઓમાં તાજગી આપવાની સાથે ખૂબ જ ફાયદાકારક પણ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે એલચી ભોજનમાં નાખીને ખાવ તેનાથી વઘારે ફાયદાકારક તેનું પાણી છે.
કઈ રીતે બનાવશો એલચીનું પાણી?
એક ગ્લાસ પાણીમાં એલચીના પાંચ-6 દાણાનો ભૂકો કરી આખી રાત પલાળી રાખો. આ પણી સવારે ઉકાળીને હૂફાળુ થાય પછી પી લો. ભોજન કર્યાના અડધા કલાક પછી પણ તમે આ પાણી પી શકો છો.
પેટની ચરબી થઈ જશે ગાયબ
એલચીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C હોય છે જે બોડીના એક્સ્ટ્રા ફેટને ઓગાળી દે છે. સાથે જ તેમાં રહેલા ફાઈબર અને કેલ્શિયમ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
હાઈ બીપી
આજકાલ હાઈ બીપીની સમસ્યા ખૂબ જ કોમન બની ગઈ છે. જો તમે નિયમિત એલચીનું પાણી પીશો તો તેનાથી બીપીની સમસ્યા ઘણા હદ સુધી નિયંત્રિત થઈ જશે.
કોલેસ્ટ્રોલ ઘટશે
હાઈ કોલેસ્ટ્રોલ ઘરાવતા દર્દીઓએ પણ એલચીના પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી કોલેસ્ટ્રોલ ઘટવામાં મદદ મળે છે. અને શરીરમાં લોહીની ગાંઠ થવાનું જોખમ ઘટે છે.
કેન્સર સામે રક્ષણ
ઘણા એવા સંશોધનો થયા છે જેમાં સાબિત થયું છે કે એલચીના પણીમાં રહેલા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપે છે.