બૉલીવુડની દુનિયા સ્ટાર્સથી ભરપૂર છે. તેને ગ્લો અને સ્ટારડમનું વિશ્વ ગણવામાં આવે છે. બહારના લોકો માત્ર ઉદ્યોગના પૈસા અને ગ્લેમર જુએ છે પરંતુ ખુબ ઓછા લોકોને તેમના વ્યક્તિગત જીવનની સમસ્યાઓ વિષે જાણે છે. ઘણી વખત આ જ નાણાં ગ્લેમર અને ખ્યાતિ માણસનો નાશ કરી નાખે છે. ખાસ કરીને જો તેઓ દારૂ અથવા દ્રગ્સનું વ્યસન હોય તો બધું જ બગડી જાય છે. આ એવા લોકો છે જેમને રેઅબિલિટેશન (પુનર્વવાસ) નો આશરો લેવો જેથી તેઓ તેમના જીવનને ટ્રેક પર પાછા મેળવી શકે છે.
સંજય દત્તે જીવનમાં ઘણી વાર સંઘર્ષ કર્યું છે. તેનું નામ ઘણા ફોજદારી કેસો સાથે સંબંધિત છે જેના માટે તેમને સજા પણ કરવામાં આવી હતી. એક સમય હતો જ્યારે સંજુબાબાને ડ્રગનું વ્યસન હતું અને તેઓ બીમાર પડ્યા હતા. આમાંથી નીકળી જવા માટે તેમને અમેરિકામાં રીહેબ સેન્ટર મોકલવામાં આવ્યા હતા.
હની સિંઘના રેપના જાદુ બધા જાણે છે પરંતુ અચાનક તેનો અવાજ ધીમો પડી ગયો અને તે ઉદ્યોગમાંથી અદ્રશ્ય થઇ ગયો. ખરેખર હની સિંઘ આલ્કોહોલ અને ડ્રગનો વ્યસન થઇ ગયો હતો અને તેમને પુનઃપ્રાપ્ત કરવા માટે રીહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો.
ફર્દિન ખાન સુપરસ્ટાર ફિરોઝ ખાનનો પુત્ર છે પરંતુ અભિનયના સંદર્ભમાં તે પોતાના પિતાની સફળતા હાંસલ કરી શક્યો નથી. તેમણે કેટલીક ફિલ્મો આપી હતી પણ તેમને કારકિર્દીમાં કોઈ ખાસ સફળતા મળી ન હતી. નિરાશાના યુગમાં તે કોકેનનો વ્યસન થઈ ગયો હતો. ડ્રગ્સના ગેરકાયદેસર કેસોમાં તેમનું નામ આવ્યું હતું ત્યારે આ બાબત બહાર આવી હતી. આ પછી તેમને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
મનીષા કોઈરાલા તેના સમયની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક હતી. તેમણે 'મન' 'અકેલે હમ અકેલે તુમ' '1942 એ લવર્સ સ્ટોરી' જેવી સુંદર ફિલ્મો બનાવી હતી. જ્યારે તેની કારકીર્દિ શ્રેષ્ઠ તબક્કામાં હતી ત્યારે તેને દારૂની લત લાગી હતી. આ સાથે તેની કારકિર્દી ખરાબ થતી ગઈ. માત્ર કારકિર્દી જ નહીં પરંતુ દારૂની લતના લીધે તેના સ્વાસ્થ્ય પણ બગ્ડ્યું હતું. પાછળથી તેમને ઓવેરિયન કેન્સરનો ભોગ બની હતી. મનિષાને તેનો સામનો કરવો પડ્યો હતો અને તેને કેન્સરને હરાવવામાં સફળતા મળી હતી.
કપિલ શર્મા આજના યુગના સૌથી સફળ કોમેડીયન છે. તેમના ટીવી શો ટીઆરપીના કેસમાં બીજા તમામ શઝને પાછળ છોડી દીધા હતા. આ દરમિયાન તેમણે દારૂ પીવાનું શરૂ કર્યું જેનો અસર તેના શો પર પડ્યો હતો. આ ઉતરાંત તેના વ્યક્તિગત જીવનને આના લિધે ભોગવવું પડ્યું હતું. અંતે તેમને પુનર્વસન કેન્દ્રમાં જવું પડ્યું હતું.