કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તમામ ટ્રેન કે ફ્લાઈટની સેવા બંધ છે. જે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાયા છે. ત્યારે લોકો ઘરે જવા અવનવા અખતરા અજમાવી રહ્યા છે. આવો જ એક અખતરો હાલમાં મુંબઈમાં રહેનારા પ્રેમ મુર્તિ પાંડેએ લગાવ્યો છે. તે મુંબઈથી પ્રયાગરાજ જવા 3 લાખ ખર્ચી 25 ટન ડુંગળી ખરીદી પ્રયાગરાજ પહોંચ્યો હતો.
ઘરે જવા માટે ખર્ચ્યા આ શખ્શે 3 લાખ
મુંબઈથી પ્રયાગરાજ જવા માટે 3 લાખની ડુંગળી ખરીદી
પ્રયાગરાજ પહોંચતાની સાથે પોલીસે મેડિકલ તપાસ કરાવી તેને હોમ ક્વોરેન્ટાઈન કર્યો
પ્રેમ મુર્તિ પાંડેય મુંબઈ એરપોર્ટ પર કામ કરે છે. તેણે જણાવ્યું કે તેમને આશા હતી કે લોકડાઉન ખુલી જશે, પણ એમ ન થતા તેમની સમસ્યામાં વધારો થતો. તેઓ અંધેરી ઈસ્ટ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં રહે છે. મુંબઈની હાલત ખૂબ ખરાબ છે. જેથી તેમને ડર લાગી રહ્યો હતો. તેઓ પ્રયાગરાજ સ્થિત પોતાના ગામ જવા માંગતા હતા.
વાહન વ્યવહાર બંધ હતો જેથી સરકારે ફળ - શાકભાજીને છુટ આપી હોઈ 17 એપ્રિલે નાસિકની પાસે પિંપલગામ માટે એક મીની ટ્રક ભાડે લીધો. તેમણે 10 હજારમાં 1300 કિલો તરબૂચ સાથે ટ્રકને પાછો મુંબઈ મોકલ્યો. એ બાદ તેણે 25,520 કિલો ડુંગળી 2.32 લાખમાં ખરીદી. એ બાદ તેણે 77, 500 રુપિયામાં એક ટ્રક ભાડે લીધો અને 20 એપ્રિલે પ્રયાગરાજ માટે 1200 કિમીની મુસાફરી માટે રવાના કર્યો. તે 23 એપ્રિલે પ્રયાગરાજમાં સીધો શહેરના બહારના વિસ્તારમાં મુંડેરા હોલસેલ માર્કેટમાં પહોંચ્યો. જોકે તેને કોઈ ખરીદનાર ન મળ્યો.
અંતે તે 1-2 કિમી દુર પોતાના ગામ કોટવા મુબારકપુર ટ્રક લઈ ગયો. જ્યાં ડુંગળી ઉતારી. ટીપી નગરના પીઆઈએ તેને પોલીસ સ્ટેશન હાજર થવા કહ્યું અને જેવો પ્રેમ ત્યાં પહોંચ્યો કે મેડિકલ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી. તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. ડુંગળી વેચતા તેને સારી કિંમતની આશા છે. હાલ બજારમાં ડુંગળી છે આ બાદ તેમને તેમની ડુંગળીના ખરીદાર મળવાની આશા છે.