કોરોના કેસોમાં વિસ્ફોટ થતાં સરકાર પર દરેક પાસાને સાંકળી આયોજનમાં જોતરાઈ ગઈ છે. બીજી લહેર જેવી સ્થિતિ ફરી પેદા ન થાય તે માટે સરકારના આગોતરા આયોજન પર પ્રકાશ પાડવા આવતીકાલે( ગુરુવારે) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ મીડિયાને સંબોધન કરશે
સંભવિત ત્રીજી લહેરના ભણકારા?
તારીખ 30 ડિસેમ્બરને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે તાપી હૉલ સ્વર્ણિમ સંકૂલ ખાતે પ્રેસ વાર્તા રાખવામાં આવી છે જેમાં મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપશે.મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી કોરોના કેસો ગત દિવસોની સરખામણીએ ડબલ અને ત્રણ ઘણા આવી રહ્યા છે. સાથે ઓમીક્રૉન કેસોની સંખ્યા પણ 100 નજીક પહોંચવા આવી છે તેમાંથી ઘણા કેસો એવા પણ પોઝિટિવ આવ્યા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સરકારના આયોજન વિશે લોકોને માહિતગાર કરવા આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે. આ દરમિયાન આરોગ્ય મંત્રી કોરોનાના નિયંત્રણોને લઇ કોઈ મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.
આજે 548 કેસ આવતા એક્ટિવની સંખ્યા 1902એ પહોંચી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 65 દર્દીઓ સાજા થયા છે. તો કોરોનાથી રાજ્યમાં પોરબંદરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1902 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે 1902 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,18,487 દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. રાજ્યભરમાં અત્યાર સુધી 101106 મૃત્યુ થઈ ચૂક્યા છે જો શહેર પ્રમાણે કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 265, સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદ 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા 5, જામનગર શહેર 3, મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેર 2, જામનગર 2, અમરેલી 1, ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાતા ફફડાટ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પણ 19 કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલા 19 માંથી 9 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેનો સીધો મતલબએ થયા છે હવે ઓમિક્રોન હરડ ઈમ્યુનિયટી પર જઈ રહ્યો છે. તે જ કારણે રાજ્યના 13 જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. જો આજે આવેલા કેસોની પર નજર કરીએ તો અમદાવાદમાં ઓમિક્રોનના 8 નવા કેસ, વડોદરામાં 3, સુરતમાં 6, આણંદ 2 કેસ નોંધાય છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે, જેમાંથી 41 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે