શનિદેવનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
30 મેના દિવસે છે શનિ જયંતિ
આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
તેમના પ્રકોપમાંથી મળશે મુક્તિ
જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહોમાં તમામ ગ્રહોનું પોત-પોતાનું મહત્વ છે. આમાં શનિ ગ્રહને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા-ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. માત્ર મનુષ્યો જ નહીં દેવતાઓ પણ શનિદેવથી ડરે છે.
શનિદેવની કૃપા જાળવી રાખવા માટે લોકો શનિવારે તેમની પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી શનિદેવના ગુસ્સાથી બચી શકાય છે.
શનિવારે ન કરો આ કાર્યો
હિંદુ ધર્મમાં શનિવારે કેટલાક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ બાબતોનું ધ્યાન રાખવાથી વ્યક્તિ પોતાના જીવનમાં શનિદેવની ખરાબ નજરથી બચી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જો વ્યક્તિની કુંડળીમાં શનિ દુર્બળ હોય, શનિ અશુભ ગ્રહોથી પીડિત હોય તો શનિની મહાદશામાં વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિદેવના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શનિદેવને પ્રસન્ન કરવા માટે આ વાતોનું ધ્યાન રાખો
જો તમને તમારી કુંડળીમાં શનિનો સારો પ્રભાવ જોયતો હોય તો કોઈપણ ખોટા કાર્યો તરત જ બંધ કરી દો. આમ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
ખોટ્ટુ બોલનાર લોકોને શનિદેવ ક્યારેય માફ કરતા નથી. તેથી જો તમારે તમારા જીવનમાં શાંતિ જોઈતી હોય તો ખોટું બોલવાનું બંધ કરો.
ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરો. ઉપરાંત, કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં.
ઘરે આવનાર મહેમાનને ભગવાનની જેમ માન આપો. સ્વાગત કરો.
ઘરની સ્ત્રીઓનું ક્યારેય અપમાન ન કરો. તમારી પત્નીનો આદર કરો અને તેને સંપૂર્ણ સન્માન આપો.