નવરાત્રીમાં માતા દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ ભક્તો માતાને પ્રસન્ન કરવા પૂજન-અર્ચન અને આરતી કરે છે.
નવરાત્રીમાં દેવીને ચડાવો ખાસ પુષ્પ
તમારા અટકેલા કામ થઇ જશે
9 દિવસ અલગ અલગ ફૂલ ચઢાવો
પૂજામાં ચડાવે છે ફૂલ
પૂજા અર્ચના સાથે ભક્તો માતાના ચરણોમાં ફૂલ પણ ચડાવે છે. જો તમે દેવીને અતિપ્રિય છે તે ફૂલ ચડાવશો તો તમારા પર હંમેશા આશીર્વાદ રહેશે.
પહેલા દિવસે
નવરાત્રીના પહેલા દિવસે શેલપુત્રી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે અને તેમને સફેદ કનેરનું ફૂલ ખુબ પસંદ છે માટે તેમને પહેલા દિવસે આ ફૂલ ચઢાવવું જોઇએ.
બીજા દિવસે
નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારીણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને ગલદાઉદીનું ફૂલ ચઢાવવું જોઇએ.
ત્રીજા દિવસે
નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને કમળ કે શંખપુષ્પીનું ફૂલ ચઢાવવું જોઇએ. તેનાથી જીવનમાં સફળતા મળે છે.
ચોથા દિવસે
નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. આ દિવસે તેમને ચમેલી કે પીળા રંગનું કોઇ પણ પુષ્પ ચડાવી દો.
પાંચમા દિવસે
નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં કરવામાં આવે છે. તેમને પીળા રંગના પુષ્પ ખુબ પસંદ છે માટે પીળા રંગનું કોઇ પણ પુષ્પ ચડાવી દો.
છઠ્ઠા દિવસે
નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને ગલગોટાનું ફૂલ ચડાવવું જોઇએ.
સાતમા દિવસે
નવરાત્રીના સાતમા દિવસે કાળરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને કૃષ્ણકમળનું ફૂલ ખુબ પ્રિય છે માટે તે ફૂલ અર્પણ કરવું જોઇએ.
આઠમા દિવસે
નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને મોગરાનું ફૂલ ખુબ પસંદ છે માટે તે ફૂલ અર્પણ કરવું જોઇએ.
નવમા દિવસે
નવરાત્રીના નવમા દિવસે સિદ્વિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમને ચંપો ખુબ પસંદ છે માટે ચંપાનું ફૂલ અર્પણ કરવું જોઇએ.