કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો તમામ રાજ્યોને પત્ર, કોરોના સંક્રમણ ઘટાડવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટીંગ, વેક્સિનેશન અને કોવિડ અનુરુપ વ્યવહાર લાગુ પાડો.
દેશમાં કોરોના વધતા સરકાર ચિંતામાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો તમામ રાજ્યોને પત્ર
પાંચ સ્ટ્રેટેજી દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવાનો નિર્દેશ
ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટીંગ, વેક્સિનેશન અને કોવિડ અનુરુપ વ્યવહાર લાગુ પાડો
દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ છે અને દિનપ્રતિદિન કેસોમાં વધારો આવી રહ્યો છે. આ જોતા સરકાર પણ ચિંતિત થઈ છે અને રાજ્યોને ફરી વાર પાંચ પ્રકારની રણનીતિ લાગુ પાડવાનો નિર્દેશ આપી દીધો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક લેટર લખ્યો છે. લેટરમાં તમામ રાજ્યોને પાંચ પ્રકારની રણનીતિ લાગુ પાડવાનો નિર્દેશ અપાયો છે.
To minimise Covid-19 infection, there's need to focus on five-fold strategy of testing, tracking, treating, vaccinating & adhering to Covid appropriate behaviour in view of upcoming festive season when states are likely to witness mass gatherings: Union Health Secretary to States pic.twitter.com/co7V9wSU8A
આગામી મહિનામાં અનેક રાજ્યમાં આવી રહ્યા છે તહેવાર
આગામી મહિનાઓમાં અનેક તહેવારો આવી રહ્યાં હોવાથી ભીડ ભેગી થવાની આશંકા છે અને તેને કારણે સરકાર અત્યારથી સતર્ક થઈ છે અને તેથી રાજ્યોને પાંચ પ્રકારની રણનીતિ તાત્કાલિક લાગુ પાડવાનું જણાવાયું છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,793 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,793 નવા કેસો સામે આવ્યા છે અને કોવિડથી 27 મોત પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 96,700 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દૈનિક પોઝિટિવીટ રેટ 2.49 ટકા છે, જ્યારે અઠવાડીયાનો પોઝિટિવિટી રેટ 3.36 ટકા રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 4,73,717 કોરોના ટેસ્ટ કર્યા છે.
અત્યાર સુધીમાં 197.31 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 197.31 કરોડ ડોઝ લાગી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 96,700 છે. હાલમાં એક્ટિવ કેસ 0.22 ટકા છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.57 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9486 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કુલ રિકવરી રેટ વધીને 4,27,97,092 થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 86.14 કરોડ કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં 12--14 વર્ષની ઉંમરના લોકોનું રસીકરણ 16 માર્ચ 2022ના રોજ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 3.64 કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આવી જ રીતે 18-59 વર્ષની ઉંમરના લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન 10 એપ્રિલ 2022થી શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિન અભિયાનમાં ગતિ લાવવા માટે કામ કરી રહી છે.
ગઈ કાલે આટલા આવ્યા હતા કેસ
ભારતમાં ગત રોજ 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. તારીખ 27 જૂનના રોજ 17,073 કોરોના કેસ નોંધાયા તો 21 દર્દીઓનાં મોત થયા હતા, આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 94,920 પર પહોંચી ગયો હતો. જો કે, આજના કેસ એડ થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા 96 હજારને પાર થઈ ગઈ છે.