કેન્દ્રીય ગૃહ મંત્રી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જ્યાં તેમણે કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું હતું. તો જાહેરસભાને સંબોધતા PM મોદીને જીતાડવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
UPમાં અમિત શાહ
2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવા 2022માં યોગીને જીતાડવાની કરી અપીલ
કહ્યું- ભાજપના કાર્યકરોએ પક્ષની વિચારધારાને ઘરે ઘરે લઈ જવાની છે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઊભી છે ત્યારે આગામી વર્ષે યોજનાર આ ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને તમામ અટકળોનું ખંડન કર્યું હતું.
2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવા હશે તો...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2024માં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા છે તો 2022માં ફરી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પડશે.
યોગી સરકાર ગરીબો, પછાત અને નબળા વર્ગોને સમર્પિત છે. અમિતશાહ
યુપીમાં વિધાનભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે.દરમિયાન, આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મેરા પરિવાર ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનને લીલી ઝંડી આપી હતી.અમિત શાહે કહ્યું કે, ભાજપે ઉત્તર પ્રદેશને તેની ઓળખ પાછી અપાવવાનું કામ કર્યુ છે. ભાજપે ઉત્તર પ્રદેશને દેશનું સૌથી અગ્રણી રાજ્ય બનાવવાની દિશામાં કામ કર્યું છે. પાર્ટીએ સાબિત કર્યું છે કે, સરકારો પરિવાર માટે નથી, પરંતુ રાજ્યના સૌથી ગરીબ લોકો માટે છે. યોગી સરકાર ગરીબો, પછાત અને નબળા લોકો માટે સમર્પિત છે.
ભાજપના કાર્યકરોએ પક્ષની વિચારધારાને ધરે ધરે લઈ જવાની છે
અમિત શાહે પોતાના સંબોધનમાં અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અખિલેશ જી, આ હિસાબ ઉત્તર પ્રદેશના લોકોને આપો, છેલ્લા 5 વર્ષમાં તમે કેટલા દિવસ વિદેશમાં રહ્યાં ? તાજેતરમાં કોરોના આવ્યો, યુપીમાં પૂર આવ્યું ત્યારે તમે ક્યાં હતાં. ? શાહે કહ્યું કે, અખિલેશે પોતાના માટે પોતાના પરિવાર માટે પોતાની જાતિ માટે રાજ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી એ સત્તા કબજે કરવાનું માધ્યમ છે, ભાજપના કાર્યકર માટે ચૂંટણી એ પક્ષની વિચારધારાને ઘરે-ઘરે લઈ જવાની ચૂંટણી છે. લોકોની સમસ્યા જાણવાની પસંદગી છે. સરકાર દ્વારા કરાયેલા કામોને લોકો સુધી લઈ જવા ચૂંટણી છે.
હિજરત કરાવનારા પોતે જ હિજરત કરી ગયા
અમિત શાહે કહ્યું કે, અન્ય તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી એ સત્તા કબજે કરવાનું માધ્યમ છે. ભાજપના કાર્યકર માટે ચૂંટણી એ પાર્ટીની વિચારધારાને ઘરે-ઘરે લઈ જવાની ચૂંટણી છે. લોકોની સમસ્યા જાણવાની પસંદગી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી લઈ જવાની ચૂંટણી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઘણા વર્ષો સુધી એસપી બસપાની રમત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશને બરબાદ કરી નાખ્યું છે.ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની દયનીત સ્થિતિ જોઈનેમ મારૂ લોહી ઉકળી ઉઠતું હતું.આજે ઉત્તર પ્રદેશમાં સ્થળાંતર નથી, જેઓ હિજરત કરાવનારા પોતે જ હિજરત કરી ગયા
યોગી સરકાર દ્વારા યુપીમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો
અમિત શાહે કહ્યું કે, મોદીજી અને યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ અને દેશમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. તમે ફરી બે તૃતીયાંશ બહુમતી આપી છે. મોદીજીએ રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો અને આજે આકાશને સ્પર્શતું ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. પાર્ટીની સરકારમાં નિર્દોષ રામભક્તોને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યા. આજે રામલલા ગગનચુંબી મંદિરમાં એ જ જગ્યાએ ગર્વ સાથે બિરાજમાન થવાના છે.