કહ્યું કે આવું ન કરવું મહિલાઓની આઝાદી છીનવી લેવા જેવું
કોર્ટે કહ્યું- આ મુદ્દે વિચારીશું
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જેબી પારડીવાલાની સુપ્રીમની બેચે એવું જણાવ્યું કે અવિવાહિત મહિલાઓને ગર્ભપાતના અધિકારથી વંચિત રાખવી તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે કોર્ટ આ કાયદામાં ફેરફાર કરવા અને અપરિણીત મહિલાઓના ગર્ભપાતને પણ મંજૂરી આપવા પર વિચાર કરશે. કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અને સંબંધિત નિયમોનું અર્થઘટન કરશે. જેમાં અવિવાહિત મહિલાઓને 24 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી શકાય કે નહીં તે નક્કી કરવામાં આવશે.
સુપ્રીમમાં ચાલી સુનાવણી
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જેબી પારડીવાલાની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. ખંડપીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ પ્રક્રિયામાં કોર્ટને મદદ કરવા જણાવ્યું હતું. આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અવિવાહિત મહિલાઓને 24 અઠવાડિયાની પ્રેગનન્સી ખતમ કરવા માટે કાયદામાં શા માટે સામેલ ન કરી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ગર્ભપાત માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ડોક્ટરની સલાહ જરુરી
જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે જ્યારે કાયદા હેઠળ અપવાદ પ્રદાન કરવામાં આવ્યાં છે તો અપરણિત મહિલાઓને 24 અઠવાડિયાની ગર્ભાવસ્થાને ખતમ કરવા માટે સામેલ કેમ ન કરી શકાય. જોકે અમે તેને માટે ડોક્ટરની સલાહને જરુરી માનીએ છીએ.
અવિવાહિત મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર
ખંડપીઠે કહ્યું કે કાયદો અવિવાહિત મહિલાઓની પણ ચિંતા કરે છે જો વિવાહિત મહિલાઓને ગર્ભપાતની મંજૂરી હોય તો અવિવાહિત મહિલાઓને તેમાંથી બહાર ન રાખી શકાય. કાયદાની નજરમાં દરેક મહિલાઓનું જીવન મહત્વનું છે.
15 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે ગર્ભપાત પર મૂક્યો હતો સ્ટે
15 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે ગર્ભપાત પર સ્ટે મૂકી દીધો હતો. તે વખતે કોર્ટે કહ્યું હતું કે સહમતિથી ગર્ભવતી થનારી અવિવાહિત મહિલાઓ ગર્ભપાત ન કરાવી શકે. કોર્ટે કહ્યું હતું આ સ્તરે ગર્ભપાત બાળકની હત્યા સમાન છે.