સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
સોમવારે કરો આ ઉપાય
આર્થિક સ્થિતિમાં થશે સુધારો
જાણો શું કરશો
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાના કારણે સોમવારે શિવજીની પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે તમે સુખ-સમૃદ્ધિ અને ધન લાભ માટે અમુક ઉપાય પણ કરી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા ઉપાય કરી શકો છો.
તીજોરીમાં મુકો આ વસ્તુ
સોમવારના દિવસે હળદળની 5 ગાંઠ અને 1 રૂપિયાના સિક્કાને પીળા કપડામાં બાંધી લો. આ પોટલીને ઘરના મંદિરમાં મુકો. ઘીનો દિવો કરો. ભગવાન પાસે પ્રાર્થના કરો. ત્યાર બાદ તેને લઈને તીજોરીમાં મુકી દો. તેનાથી જીવનમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
કેસરનું તિલક કરીને બહાર જાઓ
સોમવારના દિવસે જો કોઈ બહાર કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જાય છે તો કેસરનું તિલક કરો. તમે કેસર ઉપરાંત હળદરનુ તિલક પણ કરી શકો છો. તેનાથી તમને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
આ મંત્રનો કરો જાપ
સોમવારે સવારે જલ્દી ઉઠો, સ્નાન કરો, સાફ કરડાં પહેરો. આ દિવસે ગુરૂનું ધ્યાન કરો. |ઓમ એં ક્લીં બૃહસ્પતયે નમઃ| મંત્રનો 21 વખત જાપ કરો. તેનાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે.
ભગવાન વિષ્ણુને કરો તિલક
આ દિવસે ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરો. તેનાથી વ્યવસાયમાં વધારો થશે. તેની સાથે તમે ભગવાન વિષ્ણુની સામે ચંદનની ધુપબ્તી લગાવી શકો છો. વ્યવસાયમાં વધારાની કામના કરો. તેનાથી બિઝનેસમાં વૃદ્ધિ થશે.