ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા પર પહેલી ટેસ્ટ મેચમાં 31 રનની યાદગાર જીત બાદ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ સોમવારે બે અજીબ નિવેદન આપી દીધા. મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી લાઇવ ટીવી કાર્યક્રમ દરમિયાન સ્ટૂડિયોમાં બેઠેલા સુનીલ ગાવસ્કાર અને અન્ય દિગ્ગજો સાથે ચર્ચા કરી રહ્યા હતા. એ દરમિયાન શાસ્ત્રીએ બે વાત એવી કહી નાંખી જેને બધાને હેરાન કરી દીધા.
ઉલ્લેખનીય છે કે રવિશાસ્ત્રી પોતાના વિવાદિત નિવેદનોના કારણે પહેલા પણ ચર્ચામાં રહી ચુક્યા છે. પરંતુ આ વખત એમનું નવિવેદન એવી રીતે વાયરલ થયું કે થોડાક કલાકોમાં ટ્વિટર પર ટોપ ટ્રેન્ડસ પણ સામેલ થઇ ગયું. ચલો તો જાણીએ એમના નિવેદન માટે એવું શું કીધું શાસ્ત્રીએ જેને લઇને એ ચર્ચામાં આવી ગયા.
ભારતે એડિલેડ ટેસ્ટમાં મેજબાન ઓસ્ટ્રેલિયાને રોમાંચક ક્ષણો બાદ હરાવી દીધું અને સીરિઝમાં શરૂઆતી વધારો પ્રાપ્ત કરી લીધો. ભારતીય ટીમે પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જીતી હતી એવામાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ બધા ખુશીથી નાચી રહ્યા હતા પરંતુ કોચ શાસ્ત્રી પોતાની ખુશીમાં કદાચ શબ્દોનો સાચો પ્રયોગ કરવાનું ભૂલી ગયા.
જ્યારે લાઇવ ટીવી પ્રોગ્રામ દરમિયાન એમને ખેલાડીઓના અભ્યાસ માટે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું 'નેટ અભ્યાસને ગોળી મારો છોકરાઓને વિશ્રામની જરૂર છે.' દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સતત બે સીરિઝ હાર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ શાનદાર શરૂઆત કરી અને 70 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત સીરિઝની પહેલી મેચ જીતી.
થોડાક સમય પહેલા જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા સતત ફ્લોપ થઇ રહી હતી અને દરેક જગ્યાએ ભારતીય ખેલાડીઓની ટીકા થઇ રહી હતી. ત્યારે પણ રવિ શાસ્ત્રીએ પોતાના નિવેદનોથી બધાને ચોંકાવી દીધા હતા. એમને કહ્યું હતું કે વિદેશી જમીન પર 15 20 વર્ષોમાં આ સર્વશ્રેષ્ઠ ભારતીય ટેસ્ટ ટીમ છે. ત્યારબાદ તેઓ જોરદાર ટ્રોલ થયા હતા.