વિશ્વ બેન્કે કોરોના વાયરસ મહામારીથી લોકોને બચાવવા માટે ભારતને હેલ્થ સિસ્ટમ વધુ સારી બનાવવા માટે કહ્યું છે. વિશ્વ બેન્કે ભારત સરકારને ચાર વર્ષીય સ્વાસ્થ્ય પ્રોજેક્ટ માટે 1 બિલિયન ડોલર આપવાની રજૂઆત કરી છે. આ ચાર વર્ષીય પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કોરોના મહામારીના સમયમાં ભારતની હેલ્થ સિસ્ટમની તૈયારીઓને વિકસિત કરવાનું છે.
વિશ્વ બેન્કે ભારત સરકારને ચાર વર્ષીય સ્વાસ્થ્ય પ્રોજેક્ટ માટે 1 બિલિયન ડોલર આપશે
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 38 લોકોના મોત થઇ ચૂક્યા છે
પ્રોજેક્ટ દસ્તાવેજ અનુસાર, ભારતમાં હેલ્થ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવા માટે આ પ્રોજેક્ટને તૈયાર કરાઇ રહ્યો છે. આ પ્રોજેક્ટને કારણે ભારત કોરોના વાયરસ (કોવિડ 19) ના ખતરાથી બચી શકે.
તેની સાથે જ સરકારનું આકલન છે કે આવનારા વર્ષોમાં કોવિડ-19 જેવો પ્રકોપ જારી રહેશે અને કોરોના વાયરસની બીમારી હવે પછીના હુમલાનો સામનો કરવા માટે દીર્ધકાલિન રણનીતિ બનાવવાની આવશ્યકતા છે.
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જારી છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 1440 થઇ ગયા છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1600થી પાર બતાવાઇ રહી છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 38 લોકોના મોત થઇ ચૂક્યા છે.