મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યે કહ્યું-માસ્કને અપગ્રેડ કરવાની જરુર
INSACOG સભ્ય CSIRIGIBના મુખ્ય વૈજ્ઞાનિક વિનોદ સકારીયાએ જણાવ્યું કે સાચા ફિટિંગનું માસ્ક પહેરવું જરુરી છે. FFP2 એકદમ સાચા ફીટિંગનું માસ્ક છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ FFP2 માસ્ક પહેરે તો સરેરાશ ઈન્ફેક્શનનો ખતરો 1000 માં 1 છે. તેમણે કહ્યું કે સર્જિકલ માસ્ક એકદમ બેકાર છે. માસ્ક અપગ્રેડ કરવાનો વિચાર સારો છે. ખાસ કરીને હાઈ રિસ્ક વાળા ગ્રુપ અને કો-મોર્બિડિટીઝ લોકોમાં આવા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
કાપડનું માસ્ક પૂરતું નથી
સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જોશીએ કહ્યું કે કોવિડ હવામા ડ્રોપલેટ્સ દ્વારા ફેલાનાર વાયરસ છે. તેનાથી બચવા માટે સાચા ફિટિંગનું માસ્ક પહેરવું જરુરી છે. જો કોઈ કાપડનું માસ્ક પહેરે તો તેને સર્જિકલ 3 માસ્ક જરુરથી પહેરવુ જોઈએ જેથી કરીને પૂરતી સુરક્ષા થઈ શકે. તેમણે કહ્યું કે વુહાનના ઓરિજનલ સ્ટ્રેનની સંક્રમતતા 3.5 હતી જે ડેલ્ટામાં વધીને 6 થઈ ગઈ અને ઓમિક્રોનના 9 છે.
N95 અથવા FFP2 માસ્ક પહેરવું જરુરી
તેમણે કહ્યું કે ડેલ્ટા અને ઓમક્રોનની સંક્રમકતા ઘણી વધારે છે. તેથી હેલ્થકેર અને ભીડભાડવાળી જગ્યાએ N95 અથવા FFP2 માસ્ક પહેરવું જરુરી છે. માસ્કનું ફીટિંગ પણ સાચું હોવું જોઈએ. જો નાક અને મોં બંધ હોય પછી માસ્કમાં ગેપ થઈ જાય છે જે સંક્રમણનું કારણ બની શકે છે. N95 અથવા FFP2 માસ્ક લગભગ 95 ટકા સુધી એરબોર્ન વાયરસ પાર્ટિકલ્સને નેઝલ એરવેમાં ઘુસતા રોકી નાખે છે પરંતુ સર્જિકલ માસ્કથી સંક્રમણ સારી રીતે રોકી શકાતું નથી.