શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારનો સમય દેવી-દેવતાઓની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ છે. જો કોઇ વ્યક્તિ સવારે વહેલા ઊઠી ભગવાનનું ધ્યાન ધરે છે સ્નાન બાદ પૂજા-પાઠ કરે છે તો તેના ઘરમાં ભગવાનની કૃપા હંમેશાં જળવાઇ રહે છે. એક જ્યોતિષી અનુસાર એક કામ રોજ સવારે કરવાથી ઘરમાં ખુશીનો વધારો થાય છે.
રોજ સવારે સ્નાન કરી કરવું આ કામ:
- જે ઘરના મંદિરમાં માત અલક્ષ્મીના પદ્મ ચિહ્નની નિયમિત પૂજા થાય છે ત્યાં ક્યારેય ધનની અછત નથી થતી. મહાલક્ષ્મી ધનની દેવી છે અને તેમની કૃપાથી સમૃદ્ધિ મેળવવા રોજ સવારે સ્નાન કરી ઘરના મુખ્ય દરવાજે માતા લક્ષ્મીનાં ચરણ ચિહ્ન બનાવવાં જોઇએ.
- મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબજ પ્રિય હોય છે. માટે દેવી લક્ષ્મીના પ્રતીકરૂપે આ ચરણ ચિહ્નો લાલ કંકુથી બનાવવાં જોઇએ. સાથે-સાથે ઘરના મુખ્ય દરવાજાને લાલ રંગનાં ફૂલોથી સજાવવો જોઇએ.
- દેવી લક્ષ્મીનાં ચરણ ચિહ્નો દરવાજાથી અંદરની તરફ આવતાં હોય એમ બનાવવાં. દેવી લક્ષ્મીનાં ચરણ ફર્શ પર દરવાજાની બહારની બાજુ બનાવવાં જોઇએ. આ ઉપાય રોજ કરવો.
ધ્યાનમાં રાખો આ વાતો પણ:
- દેવી લક્ષ્મી એવા ઘરમાં નિવાસ કરે છે જ્યાં નિયમિત સાફ-સફાઇ થતી હોય.
- ઘરમાં ક્લેશ ન કરવો. પરિવારમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવો.