કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે કે ટેસ્ટ ટ્રીટ ટ્રેક વેક્સિનેશન અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરાય નહીં તો બેદરકારીથી કેસની સંખ્યા વધશે.
કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને આપી ખાસ ચેતવણી
કહ્યું બેદરકારીથી ફરીથી વધી શકે છે કેસની સંખ્યા
ટેસ્ટ ટ્રીટ ટ્રેક વેક્સિનેશન અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે રાજ્યોની સાથે દેશના અનેક ભાગમાં ખાસ કરીને હિલસ્ટેશનો પર કોરોનાના નિયમોના ઉલ્લંઘનને લઈને વાત કરી છે અને મહામારીને રોકવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધી પહલા લેવા કહ્યું છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે બેદરકારી રાખવાના કારણે ફરીથી કેસની સંખ્યા વધી શકે છે. આ સાથે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ ખાસ કરીને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે દેશના અનેક ભાગ, વિશેષ રીતે હિલ સ્ટેશનો, સાર્વજનિક પરિવહન અને બજારમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. જેનાથી કોરોના વધી શકે છે.
देश में कोरोना वायरस का रिकवरी रेट बढ़कर 97.28% हुआ। दैनिक पॉजिटिविटी रेट 2.15% है: स्वास्थ्य मंत्रालय #COVID19
કેન્દ્રએ કોરોના નિયમોના ઉલ્લંઘનના મામલો રાજ્યોની સાથે ઉઠાવ્યો
ભૂષણે કહ્યું કે કોરોનાની રોકથામ અને પ્રબંધનના સિદ્ધાંતોનું પાલન જરૂરી છે. તપાસ, ધ્યાન અને ઉપયાર, વેક્સિનેશન અને કોરોના અનુકૂળ વ્યવહારનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રત કરવામાં આવે. અનેક જગ્યાઓએ કોરોના પ્રોટોકોલનું પાલન થતુ નથી તેને લઈને પહેલા પણ રાજ્યોને સૂચના આપવામાં આવી હતી. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું સતત ઉલ્લંઘન કોરોનાને ફરીથી વધારવા માટે જવાબદાર બની શકે છે.
શું કહે છે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા
તેઓએ કહ્યું કે સાર્વજનિક વાહનોમાં કોરોનાથી બચાવને માટે આચરણનું પાલન થતું નથી. સાથે જ શારિરીક દૂરીના નિયમોના ઉલ્લંઘન કરીને બજારોમાં ભીડ વધી રહી છે. બીજી લહેર હજુ ખતમ થઈ નથી અને આ પ્રકારની બેદરકારીથી ફરીથી કેસ વધી શકે છે. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને કોઈ પણ સંસ્થા, બજાર કે અન્ય જાહેર સ્થળોએ જો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરાય તો તેને ફરીથી બંધ કરી દેવામાં આવશે.
એમ્સ નિર્દેશક રણદીપ ગુલેરિયાએ આપ્યા ત્રીજી લહેરના કારણો
તેઓએ કહ્યું કે ઈમ્યુનિટીમાં ઘટાડો, ઈમ્યુનિટી શીલ્ડથી બચવામાં સક્ષમ વધારે ટ્રાન્સમિસિબલ કોરોના વાયરસ વેરિઅન્ટનું ફરીથી ફેલાવવું અને લોકડાઉનમાં આપેલી છૂટછાટ કોરોનાની સંભાવિત ત્રીજી લહેરના કારણો હોઈ શકે છે.
भारत में #COVID19 के 41,806 नए मामले आने के बाद कुल पॉजिटिव मामलों की संख्या 3,09,87,880 हुई। 581 नई मौतों के बाद कुल मौतों की संख्या 4,11,989 हो गई है।
39,130 नए डिस्चार्ज के बाद कुल डिस्चार्ज की संख्या 3,01,43,850 हुई। देश में सक्रिय मामलों की कुल संख्या 4,32,041 है। pic.twitter.com/1Ek7KYKgVy
શું છે દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 41806 કેસ આવ્યા હતા અને પોઝિટિવ કેસની સંખ્યા પહોંચી છે. આ સમયે 39,130 દર્દીઓ સાજા થયા છે અને દેશમાં કુલ મોતની સંખ્યા 4,11,989 થઈ છે.