સરકાર જલ્દી જ આદર્શ ભાડા કાયદો (Model Tenancy Law) લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાઉસિંગ અને શહેરી વિસ્તારોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે તેનાથી રીયલ એસ્ટેટ વિસ્તારને વિશેષ રીતે ભાડાના ઘરને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે જુલાઈ 2019માં આ કાયદા માટે રજૂઆત કરી હતી.
સરકાર જલ્દી જ આદર્શ ભાડા કાયદો લાવવાની તૈયારીમાં
ભાડાના ઘરમાં રહેતા લોકોને મળશે ફાયોદ
પ્રવાસીઓ માટે આ યોજના રહેશે ફાયદારૂપ
રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન નારેડકો દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા મિશ્રાએ કહ્યું કે પ્રવાસીઓને માટે યોગ્ય ભાડાના ઘર યોજનાની પ્રગતિ ઘણી સારી છે. આ કાર્યક્રમમાં શહેરોની ઝૂંપડપટ્ટીઓને રોકી શકાય છે. સરકારે કેટલાક મહિના પહેલાં આ યોજના શરૂ કરી હતી.
અનલોક બાદ ઘરોના વેચાણમાં આવ્યો સુધારો
મિશ્રાએ કહ્યું કે અર્થવ્યવસ્થાને અનલોક કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી અનેક ઉપાયોને કારણે ઘરોના વેચાણમાં સુધારો આવ્યો છે. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોની સંપત્તિના પંજીકરણ પર સ્ટેમ્પ શુલ્ક ઘટાડ્યું છે. તેનાથી ઘરનું વેચાણ વધ્યું છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રએ દરેક રાજ્યો અને સંધ શાસિત પ્રદેશોને સ્ટેમ્પ શુલ્ક ઘટાડવાની સલાહ આપી છે તેનાથી આવાસને પ્રોત્સાહન આપી શકાશે.
નવા કાયદાને લઈને લેવાઈ રાજ્યોની મદદ
મિશ્રાએ કહ્યું કે આદર્શ ભાડા કાયદો તૈયાર છે. તેનો અનેક વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે. તેના મોટા પ્રભાવ રહેશે.પ્રસ્તાવિત આદર્શ ભાડા કાયદા પર ટિપ્પણીને લઈને સમયસીમા સમાપ્ત થઈ છે. હવે રાજ્યોએ તેની પર પોતાનો જવાબ આપવા કહ્યું છે.
રીયલ એસ્ટેટને મળશે પ્રોત્સાહન
તેઓએ કહ્યું કે 2011માં વસ્તી ગણતરી અનુસાર 1.1 કરકોડ ઘર ખાલી હતા કારણકે લોકો પોતાના ઘર ભાડે આપતાં ખચકાતા હતા. મિશ્રાએ કહ્યું કે આદર્શ ભાડા કાયદાથી અનેક મુશ્કેલીઓ દૂર થશે અને રીયલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે.