બચત માટે અને પર્સને હંમેશા રોકડથી ભરેલું રાખવા માટે વાસ્તુમાં કેટલીક ટિપ્સ વિશે જણાવવામાં આવ્યું છે. જેને ફોલો કરવાથી હંમેશા તમારૂ પર્સ પૈસાથી ભરેલું રહેશે.
હંમેશા ભરેલું રહેશે પર્સ
ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ
નહીં થાય પૈસાની કમી
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પર્સ પૈસાથી ભરેલું હોય. પરંતુ ઘણા લોકો માટે આવું શક્ય નથી હોતું. કારણ કે મહિનાના અંત સુધીમાં મોટાભાગના લોકોના ખિસ્સા ઢીલા થઈ જાય છે. ક્યારેક પૈસાના અભાવે લોન લેવી પડે છે. આ સ્થિતિથી બચત માટે અને પર્સને હંમેશા રોકડથી ભરેલું રાખવા માટે વાસ્તુમાં કેટલીક ટિપ્સ જરૂર ફોલો કરવી જોઈએ.
ક્યારેય નહીં થાય પૈસાની કમી
પૈસાની અછતને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણી પદ્ધતિઓ વિશે જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કેટલીક ખાસ વસ્તુઓ હંમેશા પર્સમાં હોવી જોઈએ. જેને રાખવાથી પૈસાની કમી નહીં રહે અને આ સિવાય પણ ઘણા ફાયદા થઈ શકે છે. ખાસ ધ્યાન રાખો કે પર્સ ક્યારેય ચામડાનું ન હોવું જોઈએ. ચામડાના પર્સમાં આ વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થશે.
કમળના બીજ
વાસ્તુશાસ્ત્રમાં કમળના બીજને ખૂબ જ ખાસ ગણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે કમળના બીજથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેને પર્સમાં રાખવાથી પૈસાની કમી નથી રહેતી. તેનાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ માનસિક શાંતિ પણ મળે છે.
પીપળાનું પાન
પીપળના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો વિષ્ણુજીની કૃપા હશે તો મા લક્ષ્મી પણ તમારા પર એવી જ રીતે પ્રસન્ન રહેશે. તેથી તમારા પર્સમાં પીપળના પાનને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરીને રાખો. તેમજ પાન પર કેસરથી શ્રી લખો. થોડા દિવસોમાં પૈસા આવવા લાગશે. પરંતુ આ પાનને એવી રીતે રાખો કે તે કોઈને દેખાય નહીં.
શ્રી યંત્ર
શ્રી યંત્રને પર્સમાં રાખવું શુભ માનવામાં આવે છે. તમારા પર્સમાં એક નાનું શ્રી યંત્ર રાખવાથી તમે હંમેશા પોઝિટિવ રહેશો. તે તમારા નસીબમાં વધારો કરશે અને સુખ અને સમૃદ્ધિ આપશે.
ગોમતી ચક્રથી થાય છે ખાસ ફાયદો
પર્સમાં 7 ગોમતી ચક્ર રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ તમને ક્યારેય પૈસાની કમી નહીં થવા દે.