કોરોના મહામારીની બીજી લહેરે ભારતને ખુબ પ્રભાવિત કર્યુ છે અને શહેરો સાથે ગામડામાં પણ લોકો આ વાયરસથી સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારો લોકો વાયરસ ભગાવવા અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યાં છે.
લોકોએ અંધશ્રદ્ધાની હદ વટાવી
ગુજરાતમાં લોકોએ છાણનો સહારો લીધો
કોરોના વાયરસથી બચાવે છે છાણ
ગુજરાતમાં કેટલાક લોકો ગૌશાળામાં જઇને ગોબર પોતાના શરીર પર લગાવવા લાગ્યા હતા અને ગૌમૂત્રનું સેવન કરતા હતો. લોકોનું માનવુ છે કે તેનાથી કોરોના વાયરસ થતો નથી અને આ ખતરનાક વાયરસથી તમે ગોબર દ્વારા બચી શકો છો.
આ મુદ્દે રૉયટર્સ સાથે વાત કરતા એક ફાર્મા કંપનીની એસોસિયેટ મેનેજરે જણાવ્યું કે, ગૌશાળાઓમાં ઘણા ડૉક્ટર્સ આવે છે અને તેમનુ પણ માનવુ છે કે ગાયોના ગોબર અને મૂત્રથી ઇમ્યૂનિટી સારી થાય છે અને તે બાદ કોવિડનો ઇલાજ ડર વગર કરી શકે છે.
ગૌતમે કહ્યું કે, તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલયમાં જઇને આ પ્રયોગ કરી રહ્યાં છે. તેમનો દાવો છે કે તે ગયા વર્ષે પોઝીટીવ થયા હતા પરંતુ આ ટેકનીકના કારણે જ ખતરનાક વાયરસને મ્હાત આપવામાં કામયાબ રહ્યાં છે.
આ લોકો ગૌશાળામાં જઇને ગાયોને ગળે લગાવ્યા બાદ પોતાના શરીર પર ગાયનુ ગોબર લગાવે છે અને પછી યોગા કરે છે, જો કે ભારતના ઘણા ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિક સતત કોરોનાની આ પ્રકારની ટ્રીટમેન્ટને લઇને ચેતવણી આપી રહ્યં છે. આ ડૉક્ટર્સનું કહેવુ છે કે આ પ્રકારની ટ્રીટમેન્ટથી મુશ્કેલીઓ જટિલ થતી રહે છે.
આ મામલામાં ઇન્ડિયન મેડિકલ એસોશિયેશનના નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર જે જયલાલે કહ્યું કે, આ વાતનું કોઇ જ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ગાયના છાણ અને મૂત્રથી ઇમ્યૂનીટી વધે છે અને આ સંપૂર્ણ આસ્થા પર આધારિત છે. તેનાથી સમસ્યા વધુ જટિલ બની શકે છે.
તેમણે કહ્યું કે ગાયના ગોબરને ખાવાથી જાનવરોમાંથી માણસોમાં થતી બિમારીઓ થવાની સંભાવનાઓ વધી જાય છે. આ સિવાય કોરોનાનો ખતરો પણ વધી જાય છે અને પરિસ્થિતિ ગંભીર થતી જાય છે.