કેટલાક લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. વધારે પડતું ખાઈ લેવાના કારણે તેઓ થોડી વાર પછી તેમને આફરો ચઢે છે. મસાલેદાર કે તળેલું ખાવાનું ખાઈ લેવાના કારણે તેમને એસિડિટીની સમસ્યા થાય છે. અનેક દવાઓનો ઉપયોગ કરવાથી તેની સાઈડ ઈફેક્ટની પણ શક્યતા રહે છે. આ સમયે જો તમે આ 5માંથી કોઈ પણ ચીજનું સેવન કરો છો તો તમને એસિડિટીમાંથી રાહત મળી રહે છે.
રોજ ખાઓ આ 5માંથી 1 ચીજ
એસિડિટીની સમસ્યામાં મળશે રાહત
એન્ટી ઓક્સીડેન્ટ ચીજોથી મળશે રાહત
ઠંડું દૂધ કે છાશ
દૂધ શરીર અને હાડકાં માટે ઘણું ફાયદારૂપ છે. ઠંડું દૂધ કે છાશ પીવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
ખીરા-કાકડી
કેટલાક લોકો એસિડિટીથી એટલા હેરાન રહે છે કે તેની દવા હંમેશા સાથે રાખે છે. પરંતુ જો તમે દવાના બદલે ખીરાનો ઉપયોગ કરશો તો તમને પાણીની સમસ્યા રહેશે નહીં અને તમારું શરીર હાઈડ્રેટ રહેશે. તે એસિડ રિફ્લેક્સને ઓછા કરે છે અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
કેળા
કેળું એક અને તેના ફાયદા અનેક છે. કેળામાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેળું એસિડ રિફ્લેક્સ ઓછું કરે છે. આ સાથે કેળામાં રહેલું ફાઈબર એસિડિટીથી રાહત આપવામાં પણ મદદ કરે છે.
તરબૂચ
તરબૂચમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી હોય છે. તેની ખાસિયત છે કે તે એસિડિટીથી બચવામાં મદદ કરે છે. તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને સાથે જ પીએચ લેવલને પણ ઓછું કરવામાં મદદ કરે છે. જે એસિડિટીની સમસ્યાને ઓછી કરે છે. તરબૂચમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણીને શરીર માટે અમૃત માનવામાં આવે છે. તે શરીરના ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળે છે.