ટીવીની દુનિયાનો કોમેડી શો તારક મહેતા... છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે. 13 વર્ષથી સતત ચાલી રહેલા આ શોના દર્શકો માટે ખુશખબર છે.
તારક મહેતા..શોમાં મોટો ફેરફાર
હવે 5ની જગ્યાએ 6 દિવસ આવશે
3200 એપિસોડ થયા પૂર્ણ
5 નહી 6 દિવસ આવશે શો
જી હાં, હવે તમારો ફેવરિટ શો તારક મહેતા...5 નહી પરંતુ 6 દિવસ આવશે. હવે આ શો સોમવારથી શનિવાર સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચેનલ સોની સબે સ્પેશ્યલ મહાસંગમ શનિવારનું અનાઉન્સમેન્ટ સાથે શોને સપ્તાહમાં 6 દિવસ ટેલિકાસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
3200 એપિસોડ પૂરા થયા
ઉલ્લેખનિય છે કે શોએ 3200 એપિસોડ પૂરા કર્યા છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. શોમાં ગોકુલધામ સોસાયટી બતાવી છે અને જ્યાં બધા જ પાડોશીઓ પરિવારની જેમ રહે છે. સોસાયટીમાં કોઇને પણ કંઇ સમસ્યા આવે છે તો બધા જ લોકો સાથે સામનો કરે છે.
નટુ કાકાનું અવસાન
નટુ કાકાએ 3 ઓક્ટોબરે કેન્સરની બીમારી બાદ આ દુનિયાને છોડી દીધી. તેઓ ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુ કાકાનો રોલ પ્લે કરી ઘર ઘરમાં પ્રખ્યાત થયા હતા.
આ ટીવી શોમાં ઘનશ્યામ નાયકને જેઠાલાલના ગડા ઇલેક્ટ્રોનિક્સના મેનેજર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે રિયલ લાઈફમાં પણ એક ગડા ઇલેટ્રોનિક્સ છે, જેની દુકાન મુંબઇના ખારમાં આવેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુકાનના માલિક શેખર ગડિયાર છે. પહેલા આ દુકાનનું નામ અલગ હતું, જેને તેમણે શોની શૂટિંગ બાદ બદલીને ગડા ઇલેક્ટ્રોનિક્સ કરી દીધુ હતું.
આ દુકાનથી નટુ કાકાની કેટલીક યાદો જોડાયેલી છે. તે અહીં બાઘાની સાથે મળીને લોકોને ખૂબ જ હસાવતા હતા. હવે આ દુકાનને શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ દુકાનના અસલી માલિકે નટુ કાકાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકા જે ચેયર પર બેસતા હતા, તેના પર તેમની એક તસવીર મૂકી છે.