ટીવીના પોપ્યુલર શો તારક મહેતા...ના પીઢ કલાકાર ઘનશ્યામન નાયકનું ગઇકાલે ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આજે તેમની અંતિમયાત્રામાં એક્ટર્સ હાજર રહ્યાં છે.
ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં પહોંચી ટીમ
ભવ્ય ગાંધી અને રાજ અનડકટ પણ સામેલ
નજીકના સંબંધીઓ પણ રહ્યાં હાજર
નટુકાકાનો અંતિમસંસ્કાર
ઘનશ્યામ નાયકના નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લાગણી પ્રસરાઇ ગઇ છે. આજે તેમના અંતિમસંસ્કારમાં દિલીપ જોશી, પ્રોડ્યુસર અસિત મોદી અને ભવ્ય ગાંધી તેમજ રાજ અનડકટ સામેલ થયા છે.
ઘનશ્યામ નાયકે નટુકાકાનું પાત્ર ભજવીને લોકોનું દિલ જીતી લીધું હતું. TMKOCની ટીમ સાથે તેમના નજીકના સંબંધીઓ સામેલ થયા છે.
ઘનશ્યામ નાયકે કરી હતી પોસ્ટ - 'અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલો રહીશ'
છેલ્લા 13 વર્ષથી માત્ર ગુજરાતીઓ જ નહિ પરંતુ દેશ-વિદેશના ખૂણે-ખૂણે દર્શકોના લોક હૃદય પર બિરાજિત સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના લોકપ્રિય પાત્ર નટુકાકા (ઘનશ્યામ નાયક)નું નિધન થતા ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ચલચિત્ર જગત અને હિન્દી ફિલ્મ/ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકા છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના ઉંઢઇ ગામના વતની હતા. ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે 1944માં થયો હતો. ત્રણ મહિના પહેલા નટુ કાકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. તેમને પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલા રહી દર્શકોનું મનોરંજન કરતા રહેશે.