તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક એવો ટીવી શો છે, જે હમેશાં ચર્ચામાં રહે છે. પણ હાલના દિવસોમાં શો અલગ જ કારણોથી ચર્ચામાં છે. ચાલો જાણીએ.
તારક મહેતાની ટીમ પર છવાયા સંકટના વાદળો
શોનો વધુ એક એકટર થયો કોરોના પોઝિટિવ
એક્ટરે વીડિયો શેર કરીને જણાવી ખાસ વાત
હકીકતમાં અત્યારે ગોકુલધામ સોસાયટીનાલોકો મુશ્કેલીમાં ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. હાલમાં જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાસુંદર એટલે કે મયુર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે બાદ આત્મારામ ભિડે એટલે કે એક્ટર મંદાર ચંદવાદકર પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે. એવામાં તેના સહ કલાકારો એક્ટરના જલ્દી ઠીક થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
મંદાર ચંદવાદકર કોરોના પોઝિટિવ આવ્યા બાદ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના જૂના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ સોઢીએ તેની સાથે વાત કરી અને તેનો હાલચાલ પૂછ્યો. મંદાર ચંદવાદકરની સાથે વીડિયો કોલ પર વાત કરતાં ગુરુચરણે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે મંદાર જલ્દી ઠીક થઈ જાય એવી પ્રાર્થના કરી છે.
એક્ટરે ફોટો શેર કરતાં લખ્યું કે, 'મેંડી: મંદાર ધ ગ્રેટ. જલ્દી ઠીક થઈ જા અને તારા માટે ખૂબ પ્રાર્થનાઓ શિક્ષક બાબૂ.' ગુરુચરણ સિંહની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં એક્ટરના ફેન્સ મંદાર ચંદવાદકર માટે બેસ્ટ વિશેઝ મોકલી રહ્યાં છે. અને તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, મંદાર કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેણે શૂટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલમાં જ મંદાર ચંદવાદકરે પોતે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે લોકોને જણાવે છે કે, તેની તબિયત કેવી છે અને તે ડોક્ટરના જણાવેલા તમામ નિયમોનું પાલન કરી રહ્યો છે. આ સાથે જ તેનાં ફેન્સને કોરોના ગાઇડલાઇન્સ ફોલો કરવા પણ અપીલ કરે છે.