સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માંમા રોશનભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર બંસીવાલ હાલ ચર્ચામાં છે. તેમણે અસિત મોદી પર જાતીય સતામણીના ધગધગતા આરોપ લગાવ્યા હતા. આ મુદ્દો દેશભરમાં ગાજયો હતો. પરંતુ આ બાદ હવે અભિનેત્રી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. તેણીએ આ મામલે ખૂલીને વાત કર્યા બાદ આર્થિક તંગીને પગલે જીવવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું.
3.5 મહિનાના કામના રૂપિયા અપાયા નથી
મહત્વનું છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માંના સેટ પર બોલાચાલી બાદ માર્ચ મહિનામાં અભિનેત્રી જેનિફર બંસીવાલએ શો છોડી દીધો હતો. 7 માર્ચે તેઓએ સેટ છોડયા બાદ તે પરત ગઈ નથી અને એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે તેણીને 3.5 મહિનાના કામના રૂપિયા અપાયા નથી. તેણીએ જણાવ્યું કે તેના ખાતામાં એક લાખ રૂપિયા પણ નથી. કામ છોડ્યા બાદ બાકીના રૂપિયા લેવાના હતા જે મોટી રકમ હતી. વધુમાં તેને ઉલ્લેખ કર્યો કે કામ છોડયુ ત્યારે મને એવું લાગ્યું કે હું રૂપિયા પણ નહીં માંગુ! આ ઉપરાંત પોતાને ત્યાં સાત છોકરીઓ હોવાનું અને તે તમામની સંભાળ રાખતી હોવાનો પણ દાવો કર્યો હતો.
એકાઉન્ટમાં માત્ર 80,000 જ રૂપિયા હોવાનો દાવો
અભિનેત્રી જેનિફર બંસીવાલએ કહ્યું કે ગમે તેવી મુશ્કેલ સ્થિતિ હોય ભગવાન તેની મદદ ચોક્કસ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વધુમાં કહ્યું કે હું શા માટે વિચારું કે મારા એકાઉન્ટમાં માત્ર 80,000 જ રૂપિયા છે. મારે શા માટે ડરવું જોઈએ જેને પેટ આપ્યું છે તે અન્ન પણ આપશે અને ભગવાને મને હંમેશા માટે બધું આપ્યું છે તેથી હું આપ આ સ્થિતિમાં પણ અડગ રહીશ! આ તકે તેણીએ દુઃખ પણ વ્યકત કર્યું હતું. કારણ કે તેમની મહિલા સહકર્મીઓ પણ સાથ આપતી નથી. સાથે એવું પણ સ્વીકાર્યું હતું કે આવું અન્ય કોઈ સાથે થયું હોત તો પોતે પણ ન બોલી હોત! કોઈ અવાજ ન ઉઠાવતું હોવાથી તે દુઃખી હોવાનું અંતમાં કહ્યું હતું.