Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની ભુમિકા નિભાવી ચુકેલી એક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ પણ હવે આસિત મોદી વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે. મોનિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં 'દયાબેન'ને લઈને પણ એક મોટી વાત કહી નાખી છે.
મોનિકા ભદૌરિયાએ પણ કર્યા ખુલાસા
આસિત મોદીને લઈને કહી આ વાત
'દયાબેન'ને લઈને પણ કહી મોટી વાત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લઈને કોન્ટ્રોવર્સી દરરોજ વધતી જઈ રહી છે. શોમાં મિસિઝ સોઢીની ભુમિકા નિભાવનાર એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર આસિત મોદી પર સેક્શુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપ લગાવ્યા છે. તેની વચ્ચે હવે શોમાં બાવરીનું પાત્ર નિભાવી ચુકેલી એક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ પણ તારક મહેતાના પ્રોડ્યુસર વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે.
હાલમાં જ જુની બાવરી એટલે કે એક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આસિત મોદીનો વ્યવહાર તેમના વિશે કેવો હતો અને દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસી પર પણ કમેન્ટ કર્યું છે.
'દયાબેન'ની વાપસી પર મોનિકાએ કહી આ વાત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જુની બાવરી એટલે કે એક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યું છે. જ્યાં તેમણે દયાબેનની આઈકોનિર ભુમિકા નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણીને લઈને પણ વાત કરી છે.
મોનિકાએ દિશાના કમબેક પર કહ્યું- તે પરત નથી આવવા માંગતી. કોઈ પણ આ શોમાં પરત નથી આવવા માંગતું. મને નથી લાગતું કે તે વાપસી કરશે. તે શોની લીડ હતી અને એક લાંબા સમયથી ગાયબ છે. તમને નથી લાગતું કે તેમને લાવવા માટે મેકર્સે સંપૂર્ણ પ્રયત્ન કર્યા હશે પરંતુ તે નથી આવવા માંગતી.
આસિત મોદી વિરૂદ્ધ ખોલ્યો મોર્ચો
મોનિકાએ ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યુસર અસિત મોદીના બિહેવીયર પર વાત કરતા કહ્યું- તે બધાની સાથે ખરાબ રીતે વાત કરે છે. તેમણે દિશા સાથે પણ ખરાબ વહેવાર કર્યો હશે પરંતુ દિશાએ તેને ક્યારેય સીરિયસલી ન લીધુ.
તે વસ્તુઓ જતી કરે છે અને આગળ વધી જાય છે. મોનિકાએ એમ પણ કહ્યું કે કોઈ પણ એક્ટર આસિત મોદીના વિરૂદ્ધ એટલા માટે નથી બોલતું કારણ કે ઘણા લોકોની રોજી-રોટી તેનાથી જ ચાલે છે. મોનીકાએ તારક મહેતાની કાસ્ટને લઈને કહ્યું તેને વિશ્વાસ છે કે ઘણા લોકો જલ્દી શો છોડી દેશે.