પં. બંગાળના મિદનાપુરના મકરમપુર વિસ્તારમાં ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટથી ભય ફેલાઈ ગયો છે.
ગોળીબારમાં એકનું મોત, બોમ્બ બ્લાસ્ટમાં 3 અન્ય કાર્યકર્તાઓ ઘાયલ
ઘટના ટીએમસીના બે જૂથની અંદરનો કલેશના કારણે થઈ - ભાજપ
આ હુમલો ચૂંટણીને લઈને પ્લાન કરવામાં આવ્યો છે આ ભાજપનું કામ છે- ટીએમસી
ગોળીબારમાં એકનું મોત, બોમ્બ બ્લાસ્ટમાં 3 અન્ય કાર્યકર્તાઓ ઘાયલ
પશ્ચિમ બંગાળના મિદનાપુરના મકરમપુર વિસ્તારમાં ટીએમસી કાર્યકર્તાઓ પર હુમલો થયો. મંગળવારે રાતે 10 વાગે થયેલી ગોળીબારી અને બોમ્બ બ્લાસ્ટમાં 3 અન્ય કાર્યકર્તાઓ ઘાયલ થયા છે . ઘાયલોમાં મિદનાપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. ત્યારે ભાજપેના જિલ્લાધ્યક્ષનો દાવો છે કે આ ઘટના ટીએમસી કાર્યકર્તાના 2 જૂથોમાં અંદરના ઝઘડાના કારણે થઈ છે.
આ હુમલો ચૂંટણીને લઈને પ્લાન કરવામાં આવ્યો છે આ ભાજપનું કામ છે- ટીએમસી
મકરમપુરના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાતે 10 વાગે ઘટનના બની હતી. મનાઈ રહ્યું હતું કે ટીએમસીના 4 કાર્યકર્તાઓ રસ્તાના કિનારે બેઠા હતા. તે દરમિયાન તેમના પર ફાયરિંગ થયું અને બોમ્બ ફેંકવામાં આવ્યો. આ હુમલા બાદ ભય ફેલાયો. ગોળી વાગવાથી ટીએમસીના 28 વર્ષીય સૌવિક દલાઈ નામના કાર્યકર્તાનું મોત થયુ હતુ. જ્યારે 3 અન્ય લોકો ઘાયલ થયા હતા. સ્થાનીકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
આ હુમલા પર તૃણમૂલના જિલ્લાધ્યક્ષ અજીત મૈતીએ કહ્યું કે અમારો આ વિસ્તારમાં સારો પ્રભાવ છે. આ હુમલો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્લાન કરવામાં આવ્યો છે. આ ભાજપનું કામ છે. હુમલા પાછળ જે કોઈ હશે તેની તાત્કાલીક ધરપકડ કરવા પોલીસને માંગ કરી છે.
ઘટના ટીએમસીના બે જૂથની અંદરનો કલેશના કારણે થઈ - ભાજપ
ત્યારે ભાજપના જિલ્લાધ્યક્ષ સમિત દાસે કહ્યું કે આજે નારાયણગઢ વિધાનસભા વિસ્તારમાં મકરમપુરમાં થયેલી ઘટના રાજનીતિક ષડયંત્ર નથી. બલ્કે ટીએમસીના બે જૂથની અંદરનો કલેશના કારણે થઈ છે. બન્ને જૂથમાં અહીં સ્થિત કારખાનામાં ટોલ વસૂલવાને લઈને વિવાદ છે. તેમણે કહ્યું કે હું પ્રશાસન પાસેથી જાણવા માંગુ છુ કે બદમાશોની આટલી હિમંત કેવી રીતે થઈ? નારાયણગઢમાં પોલીસ મૂક દર્શક બની રહી છે.’