પશ્ચિમ બંગાળમાં આવનારા કેટલાક મહિનાઓમાં થનારી વિધાનસભાની ચૂંટણીને પગલે ટીએમસીનો ચૂંટણી નારો આવી ગયો છે.
તૃણમુલ કોંગ્રેસે નવા સ્લોગન, ‘બાંગ્લા નીજેર મેય કે ઈ ચાઈ’ જારી કર્યુ
સ્લોગન સીધી રીતે મતદાતાઓને TMCની તરફ આકર્ષિત કરશે
ટીએમસીના આ સ્લોગનને પૂરા રાજ્યમાં લગાવાયું
સ્લોગન સીધી રીતે મતદાતાઓને TMCની તરફ આકર્ષિત કરશે
પ.બંગાળની વિધાનસભા ચૂંટણીના નારાને લઈને ભાજપ અને તૂણમૂલ કોંગ્રેસ (TMC)ની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ભાજપના જય શ્રીરામ નારાને લઈ રાજ્યમાં ગરમાયેલી રાજનીતિની વચ્ચે TMCએ પોતાનું નવુ ચૂટણી સ્લોગન જારી કરી દીધું છે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે તેમને સ્લોગન સીધી રીતે મતદાતાઓને TMCની તરફ આકર્ષિત કરશે અને પશ્ચિમ બંગાળમાં એક વાર ફરી મમતા બેનર્જી ફરી સત્તામાં આવશે.
ટીએમસીના આ સ્લોગનને પૂરા રાજ્યમાં લગાવાયું
પ. બંગાળ વિધાનસભા ચૂંટણીને જોતા તૃણમુલ કોંગ્રેસે નવા સ્લોગન, ‘બાંગ્લા નીજેર મેય કે ઈ ચાઈ’ જારી કર્યુ છે. આ નારાનો મતબલ છે કે બંગાળ પોતાની દીકરીને જ ઈચ્છે છે. ચૂંટણી ઘમાસાણની વચ્ચે સુબ્રત બખ્શી, પાર્થ ચેટર્જી, ડેરેક ઓ બ્રાયન, શુખેંદુ શેખ રોય, કાકોલી ઘોષ દસ્તીદાર અને સુબ્રત મુખર્જીએ TMCના આ સ્લોગનને જારી કર્યુ છે. ટીએમસીના આ સ્લોગનને પૂરા રાજ્યમાં લગાવાયું છે.
ઉલ્લેખનીય છે કે નવા સ્લોગન બંગાળની બેટી વાળા સેન્ટિમેન્ટ સાથે જોડાયું છે. લાંબા સમયતી બહારી અને અંદરની રાજનીતિ કરતી આવી રહેલી તૃણમુલે આ સ્લોગનથી એક વાર ફરી ચૂંટણીમાં નવો પ્રાણ પુર્યો છે. TMC આ સ્લોગનના માધ્યમના માર્ફતે જણાવવાનો પ્રયાસ કર્યો છે કે મમતા બંગાળની દીકરી છે અને ભાજપ બહારની શક્તિ.
શું છે ચૂંટણી સમીકરણો?
ગત લોકસભા ચૂંટણીમાં ટીએમસી માટે મોટી ચિંતા બની ચૂકેલી ભાજપ છેલ્લા લગભગ દોઢ વર્ષોથી બંગાળમાં પોતાનો આધાર તૈયાર કરવામાં લાગી છે. એક ગણિત એમ કહી રહ્યું છે કે TMCની સાથે ઔવેસીની પાર્ટીનું ગઠબંધન થયુ તો ભાજપને ફાયદો મળી શકે છે. અને કોંગ્રેસના મુસ્લિમ વોટ કપાઈ શકે છે. બીજું ગણિત એમ પણ છે કે મુસ્લિમ વિસ્તારમાં ઔવેસીની પાર્ટી ભાજપ માટે સંકટ બની શકે છે.