TMC ના વરિષ્ઠ નેતા સુબ્રત મુખર્જીનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું હોવાના દુઃખદ સમચાર આવતા બંગાળના રાજકીય જગતમાં શોકનું વતાવરણ છે.
TMC ના વરિષ્ઠ નેતા સુબ્રત મુખર્જીનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે અને આ સમાચારની પુષ્ટિ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે કરી હતી.
West Bengal minister & senior TMC leader Subrata Mukherjee passes away at SSKM hospital in Kolkata at the age of 75, confirms CM Mamata Banerjee. His mortal remains will be kept at Rabindra Sadan, Kolkata tomorrow morning for people to pay their last respects, says CM
કલકત્તામાં 75 વર્ષની ઉંમરે સિનિયર નેતાનું નિધન થતાં શોકનું વાતાવરણ થઈ ગયું છે. તેઓને હ્રદય રોગનો હુમલો આવતા કલકત્તાની જ SSKM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
મમતા બેનર્જીએ પોતે કરી પુષ્ટિ
આ સમાચારની પુષ્ટિ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે કરી હતી. તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાદમાં પોતાના સાથી નેતાઓને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ એક મોટી ખોટ પડી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 'દીદી'એ કહ્યું કે તેમના પાર્થિવ દેહને આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે લોકોને જોવા માટે કોલકાતાના રવીન્દ્ર સદનમાં રાખવામાં આવશે. સુબ્રત મુખર્જી સીએમ મમતા બેનર્જીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને તેમના નેતૃત્વમાં પંચાયત વિભાગે વિશેષ સ્થાન હાંસલ કર્યું હતું. સુબ્રત મુખર્જી કોલકાતાના મેયર પણ રહી ચુક્યા છે અને બંગાળના રાજકારણીઓમાં તેમની ખાસ ઓળખ છે.
નેતાઓએ શોક વ્યક્ત કર્યો
વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી સહિત ઘણા નેતાઓએ આ સમાચારને પગલે શોક વ્યક્ત કર્યો હતો.
બેનર્જી શ્વાસની ગંભીર સમસ્યાથી પરેશાન હતા
મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારમાં પંચાયતો અને ગ્રામીણ વિકાસ અને પાણી પરીક્ષણ અને વિકાસ જેવા વિભાગો જોઈ ચૂકેલા સિનિયર નેતા બેનર્જી શ્વાસની ગંભીર સમસ્યા અને હૃદયની બિમારીથી પીડિત હતા. આ સિવાય મંત્રી સુબ્રત મુખર્જી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન હતા.
બાલીગંજ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા
સુબ્રત મુખર્જી 2021ની વિધાનસભા ચૂંટણીમાં બાલીગંજ બેઠક પરથી ચૂંટાયા હતા. 1971 અને 1972માં તેઓ બાલીગંજ વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. 1972 માં, તેઓ સિદ્ધાર્થ શંકર રે મંત્રાલયમાં માહિતી અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા. તેમણે સ્થાનિક સરકારોના રાજ્ય મંત્રી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.