ભારતીય ચુંચણી પંચે પશ્ચિમ બંગળાના ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. આ સાથે સમસેરગંજ અને જંગીરપુરમાં પણ મતદાન થશે.
16 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે
CM મમતા બેનર્જી માટે આ ચૂંટણી મહત્વની છે
પેટાચૂંટણી માટે મત ગણતરી 3જી ઓક્ટોબરે થશે
ભવાનીપુર થી CM મમતા બેનર્જી ચૂંટણી લડશે
પશ્ચિમ બંગાળમાં 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જંગીરપુરથી ઝાકીર હુસેન અને સંસેરગંજથી અમીરૂલ ઇસ્લામ 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી લડશે.
16 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે
પશ્ચિમ બંગાળમાં 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા સમયપત્રક મુજબ, 13 સપ્ટેમ્બર નામાંકન ભરવાની છેલ્લી તારીખ હશે.અને ઉમેદવારો 16 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારી પરત ખેંચી શકશે. આ વખતે કોરોના સામે રક્ષણ માટે સાવચેતી તરીકે કમિશન દ્વારા ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
મમતા બેનર્જી માટે આ ચૂંટણી મહત્વની છે
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ પર રહેવા માટે મમતા બેનર્જીએ વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર કોઇપણ મુખ્યમંત્રીએ 6 મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું ફરજિયાત છે. આ સંદર્ભમાં મમતા માટે આ પેટા ચૂંટણી મહત્વની છે
ભવાનીપુરમાં બીજેપી કોઈ ઉમેદવાર ના ઉતારે
શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો છે કે મમતા બેનર્જી તેમની પરંપરાગત બેઠક પરથી એકતરફી ચૂંટણી જીતવા જઈ રહ્યા છે.ત્યારે ટીએમસીના નેતા મદન મિત્રાએ રવિવારે જણાવ્યું હતું કે, બીજેપીએ ભવાનીપુરમાં મમતા બેનર્જીની વિરૂદ્વ કોઈ ઉમેદવાર ના ઉતારે નહીં તો પૈસાનો બર્બાદી થશે. જે વાતનું સમર્થન મદન મિત્રાએ કર્યુ હતુ.