પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના આક્રમક ચૂંટણી પ્રચાર વચ્ચે મમતા બેનર્જીએ નવી સ્ટ્રેટજી અપનાવી છે.
મમતા બેનર્જીએ વિવિધ રાજનેતાઓને લખ્યો પત્ર
લોકતંત્ર બચાવવા માટે બધા એક થાઓ : મમતા બેનર્જી
રાજ્યપાલનો ખોટો ઉપયોગ કરે છે ભાજપ : મમતા બેનર્જી
નેતાઑનો સાથે મેળવવો મકસદ?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હોવાથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મમતા બેનર્જી સતત ભારતીય જનતા પાર્ટી સામે હુમલાઓ કરી રહ્યા છે ત્યારે હવે ગેર-ભાજપ નેતાઑને સાથે લાવવા માટે પ્રયાસ કર્યો છે.
કેમ લખ્યો પત્ર?
લોકસભામાં NCT બિલ પાસ કરવામાં આવ્યો છે. આરોપ છે કે કેન્દ્રની સરકાર દ્વારા કેજરીવાલની સત્તામાં કાપ મૂકવા માટે આ કામ કરવામાં આવ્યું છે. હવેથી દિલ્હીમાં સરકારથી વધારે સત્તા ઉપરાજ્યપાલ પાસે રહેશે અને દિલ્હીની સરકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉપરાજ્યપાલની સલાહ લેવાની રહેશે.
કયા નેતાઑને લખ્યો પત્ર
આ કાયદા સામે વિરોધ વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ સોનિયા ગાંધી, શરદ પવાર, સ્ટાલિન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, અરવિંદ કેજરીવાલ, જગન મોહન રેડ્ડી, નવીન પટનાયક, ફારૂક અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને પત્ર લખ્યો છે.
ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
મમતા બેનર્જીએ કહ્યું છે કે આ કાયદા સામે બધાએ અવાજ ઉઠાવવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી બધા રાજ્યોની અવાજને દબાવી દેવા માંગે છે. તેમણે કહ્યું કે ગેરભાજપ દળો દ્વારા રાજ્યપાલનો ખોટો ઉપયોગ કરીને સરકાર સામે સમસ્યા ઊભી કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઉપરાજ્યપાલને દિલ્હીના વાઈસરૉય બનાવી દેવામાં આવ્યા છે જે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના પ્રૉક્સીના રૂપમાં કામ કરી રહ્યા છે.