ઉન્નાવ રેપ કેસમાં તીસ હજારી કોર્ટે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ગુના નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સેંગર વિરુદ્ધ ગુના નક્કી કરવાના પૂરતા પુરાવા છે.
ઉન્નાવ રેપ કેસની સુનવણી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે કોર્ટે આરોપી ધારાસભ્ય કુલદીસ સિંહ સેંગર પર ગુના નક્કી કરી દીધા. કોર્ટે કહ્યું કે સેંગર વિરુદ્ધ ગુના નક્કી કરવાના પૂરતા પુરાવા છે. કોર્ટે ધારાસભ્. કુલદીપ સેંગર પર આઇપીસીની ધારા 120b, 363, 366, 109, 376(i) અને પોસ્કો એક્ટ 3&4 હેઠળ ગુના નક્કી કરવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે આ પહેલા થયેલી સુનવણી દરમિયાન સીબીઆઇએ જજને કહ્યું હતું કે એમની તપાસમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે કુલદીપ સિંહ સેંગર પર 4 જૂન 2017 પીડિતાની સાથે બળત્કાર કરવા અને શશિ સિંહના ષડયંત્રમાં સામેલ થવાના આરોપ યોગ્ય છે. આ આધાર પર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે શશિ સિંહે પીડિતાને નોકરી અપાવવાના બહાને કુલદીપ સિંહ સેંગરના ઘરે લઇ ગયો. પીડિતાએ સીબીઆઇને જે નિવેદન આપ્યા એને સીબીઆિએ જજની સામે આપ્યા.
સીબીઆઇએ કોર્ટનિે જણાવ્યું હતું કે એ વખતે ત્યાં ઘરે કોઇ હાજર નહતું. ત્યાં સુરક્ષા કર્મીઓ પણ નહતા. પીડિતાએે ત્યાં જવા માટે ઘરમાં કોઇને જણાવ્યું નહતું. શશિ એને ઘરના પાછળના દરવાજેથી અંદર લઇ ગયો. જેવી પીડિતા એના ઘરની અંદર પ્રવેશ કરી રહી હતી, ત્યારે કુલદીપ સિંહ સેંગરે એનો હાથ ખેંચ્યો અને રૂમની અંદર લઇ ગયો.
આ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પર આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. પીડિતાને પણ સારવાર માટે એમ્સ લાવવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ પીડિતાના વકીલને પણ એમ્સ લાવવામાં આવ્યા. એ હજુ કોમામાં છે.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો કે પીડિતાના પરિવારના લોકોને રહેવાની વ્યવસ્થા એમ્સની આસપાસ કરવામાં આવે. સાથે જ સીબીઆઇ પાસેથી પુરાવાની સુરક્ષા પર સીલ બંધ રિપોર્ટ માંગવામાં આવ્યો. તીસ હજારી કોર્ટે પુરાવાના મામલામાં ઉત્તર પ્રદેશના ડીજીપીને પણ નિર્દેશ જારી કર્યા છે. સાથે જ પીડિતના વકીલોને કેસથી જોડાયેલ તમામ દસ્તાવેજ પૂરા પાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો.