તીસ હજારી કોર્ટમાં શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણનો વિવાદ શાંત થતો નજરે પડી રહ્યો નથી. આજે દિલ્હી પોલીસ વર્દીમાં રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યી છે. ત્યારે પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓની દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે મુલાકાત લીધી. તેમણે પોલીસ કર્મીઓને શાંતિ બનાવી રાખવા કહ્યું.
તીસ હજારી કોર્ટમાં શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ
દિલ્હી પોલીસ વર્દીમાં રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યી છે
તીસ હજારી કોર્ટમાં શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આજે દિલ્હી પોલીસ વર્દીમાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરી રહી છે. આઇટીઓ સ્થિત દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓએ 'અમને ન્યાય જોઇએ' ના નારા લગાવ્યા અને કહ્યું કે અમને અસુરક્ષાનો અનુભવ થઇ રહ્યો છે.
ત્યારે પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓની દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે મુલાકાત લીધી હતી. આ દરમિયાન પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને કહ્યું, સૌ કોઇ શાંતિ બનાવી રાખે, સરકાર અને જનતાને આપણી પાસે આશા રાખી રહી છે. આ આપણા માટે પરીક્ષા, અપેક્ષા અને પ્રતીક્ષાનો સમય છે. આપ સૌ કોઇ ડ્યૂટી પર પરત ફરો, આ મુદ્દા પર ન્યાયિક તપાસ ચાલી રહી છે. આપણે અનુશાસન બનાવી રાખવાનું છે. પહેલા કરતા સ્થિતમાં સુધારો થઇ રહ્યો છે.
Delhi Commissioner of Police Amulya Patnaik: I appeal to all to maintain peace. It's trying time for us. We need to fulfill the responsibility of maintaining&assuring law&order.
It is expected from us that we the protectors of law will continue to assure law&order in the capital https://t.co/7Mj5hKMsH8
પ્રદર્શન કરી રહેલા જવાનોનું કહેવું છે કે અમારી સાથે વધારે પડતું થઇ રહ્યું છે, જે સાવ ખોટુ છે. અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરીશું અને કમિશનર સમક્ષ રજૂઆત કરીશું. પ્રદર્શન કરી રહેલા જવાનોનું કહેવું છે કે અમે પોલીસની વર્દી પહેરવામાં ડર લાગી રહ્યો છે, કારણ કે વર્દીને જોતાં જ વકીલ પોલીસ જવાનને મારી રહ્યાં છે.
જવાનોનું કહેવું છે કે અમે માત્ર જણાવવા માગીએ છીએ કે પોલીસવાળા સાથે પણ સારી રીતે વ્યવહાર થવો જોઇએ અને કાયદાકીય રીતે સમાન રૂપે સજા મળવી જોઇએ. પ્રદર્શન કરી રહેલા એક જવાને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસથી વકીલ સતત પોલીસ અને આમ જનતા સાથે ખરાબ વર્તન કરી રહ્યાં છે અને સીનિયરો કોઇપણ કાર્યવાહી કરી રહ્યાં નથી.
તીસ હજારી કોર્ટમાં કેમ પોલીસ-વકીલ વચ્ચે થયું ઘર્ષણ?
શનિવારના રોજ તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે મામલો એટલો તંગ થયો હતો કે પોલીસે ફાયરિંગ કરવી પડી. ત્યારબાદ વકીલએ પોલીસ જીપ સહિત કેટલાંક વાહનોમાં આગ ચાંપી દીધી હતી અને તોડફોડ કરી હતી.