આંધ્ર પ્રદેશમાં સ્થિત તિરપતિ બાલાજીના દર્શન કરવા માટે જો તમે વિચારી રહ્યા છો તો આ ક્ષમભર માટે વિચારી લો કેમકે પ્રશાસને VIP દર્શન કરાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસન અનુસાર, આ સંબંધમાં કોઇ પણ સ્થિતિમાં વિચાર નહી કરવામાં આવે. આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણીના કાર્યક્રમના ઘોષણાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ પ્રશાસને મંદિરમાં VIP દર્શન કરવાથી ઇન્કાર કરાવવા કહ્યુ કે, આ સંબંધમાં કોઇ પણ મહેમાનો કે નેતાઓના પ્રતિનિધિ પણ VIP દર્શન કરવા માટે માંગ કરશે તો પણ વિચાર નહી કરવામાં આવે. આ સાથે જ મંદિર પ્રશાસન તમામ રાજનીતિક પાર્ટીઓને સહયોગની અપીલ કરતા કહ્યુ કે, તેઓ મંદિર પરિસરની આસપાસના ક્ષેત્રોમાં કોઇ પણ પ્રકારના રાજનીતિક નિવેદનો ના આપે અને ધ્યાનમાં રાખે કે આ ભગવાન બાલાજીનું નિવાસ સ્થાન છે.
પ્રશાસને આ સાથે તેમ પણ કહ્યુ કે, ''જો નેતા પોતે પત્ર લખીને દર્શન કરવા ઇચ્છશે તો મંદિર પ્રશાસન પ્રોટોકોલ અનુસાર આ અંગે વિચાર કરશે.''
આ મંદિરમાં રોજના 50000 જેટલા ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. તેઓ દર્શન માટે ટિકિટ ખરીદી શકે છે. બુકિંગ એક દિવસ એડવાન્સમાં કરી શકે છે. વધુમાં વધુ 10 દિવસ એડવાન્સમાં બુકિંગ કરી શકાય છે. આ સિવાય તિરૂમાલ તિરુપતિ દેવસ્થાનમમા પ્રશાસને દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ બે કેટેગરીના લોકો માટે સ્પેશિયલ ગેટ છે અને તેમને 2 ટાઇમ સ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં તમામ રાજનીતિક દળોના નેતા ભગવાન તિરૂપતિના દર્શન કરવા માટે આવે છે. ન તો માત્ર ભારતમાંથી પરંતુ અન્ય દેશોના નેતા અને જાણીતી હસ્તીઓ પણ ભગવાન બાલાજીના દર્શન કરવા માટે આવે છે.તમને જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધેને ચોથી વખત મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.