Tirupati Balaji Temple in Jammu: જમ્મુમાં બનેલા સૌથી મોટા તિરૂપતિ બાલાજી મંદિરના કપાટ 8 જૂને જનતા માટે ખોલવામાં આવશે. આજથી જમ્મુના તિરૂપતિ બાલાજી મંદિરમાં પૂજા શરૂ થઈ.
8 જૂને LG મનોજ સિન્હા જમ્મુમાં મંદિરનું કરશે ઉદ્ધાટન
તેના બાદ મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે
આજથી મંદિરમાં થશે પૂજા શરૂ
જમ્મૂના સિધરા વિસ્તારમાં બનેલા સૌથી મોટા તિરૂપતિ બાલાજી મંદિરના કપાટ 8 જૂને જનતા માટે પહેલી વખત ખોલી દેવામાં આવશે. આજથી જમ્મુના તિરૂપતિ બાલાજી મંદિરમાં ત્રણ સુધી ચાલતી પૂજા શરૂ થઈ જશે અને મંત્રો ઉચ્ચારણથી મંદિરોનુ શહેર જમ્મુ ગુંજી રહ્યું છે.
શહેરના દરેક વ્યક્તિને 8 જૂનની આતુરતા પુર્વક રાહ છે. જ્યારે લાખોની સંખ્યામાં લોકો જમ્મુમાં જ ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીના દર્શન કરશે. માતા વૈષ્ણો દેવી દરબાના બાદ જમ્મુ તિરૂપતિ બાલાજી મંદિર આ શહેરનું પહેલું આટલું મોટુ મંદિર હશે.
મંદિર પરિસરનું નિર્માણ પૂર્ણ
તિરૂપતિ બાલાજી મંદિર ભારતના સૌથી પ્રતિષ્ઠિત તીર્થ સ્થાનોમાંથી એક છે. જલ્દી જ તીર્થયાત્રીઓને જમ્મુના પહાડોમાં બનેલા વિશાળ તિરૂપતિ બાલાજી મંદિર પરિસરમાં દર્શન-પૂજનનો અવસર મળશે. જમ્મુમાં ભવ્ય તિરૂપતિ બાલાજી મંદિર પરિસરનું નિર્માણ પુરૂ થઈ ગયું છે.
8 જૂને તે જનતા માટે ખુલી જવા બાદ જમ્મુમાં તિરૂપતિ બાલાજી મંદિર આખા ભારતથી ભક્તોને આકર્ષિત કરશે. તેમાંથી જમ્મુમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે અને સ્થાનીક અર્થવ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે. તિરૂપતિ બાલાજી મંદિરને વૈષ્ણો દેવી મંદિર અને અમરનાથ યાત્રા જેવા પ્રસિદ્ધ ધાર્મિક પર્યટન સ્થળો સાથે જોડવામાં આવશે.
મનોજ સિન્હા કરશે મંદિરનું ઉદ્ધાટન
નજીકના ભવિષ્યમાં જમ્મુ અને કાશ્મીરના માટે ધાર્મિક પર્યટનના આ પેરેજ સામે આવી શકે છે. જે તીર્થયાત્રીઓની સાથે સાથે આ ધાર્મિક સ્થળો પર જશે. આશા છે કે 8 જૂને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તિરૂપતિ બાલાજી મંદિરનું ઉદ્ધાટન કરે. જેના બાદ મંદિરના કપાટ ભક્તો માટે ખુલી જશે.
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ વાઈ વી સુબ્બા રેડ્ડી પણ અન્ય પુજારીઓ અને બોર્ડના દસ્યોની સાથે આ અવસર પર સાથે રહેશે. તિરૂપતિ બાલાજી મંદિર પરિસરમાં ભક્તોના પૂજા-પાઠ, જરૂરી સુવિધાઓ અને આરામ માટે જરૂરી ઢાચાની તૈયારી કરવામાં આવી છે. તેમાં પાર્કિંગની જગ્યા, એક ધ્યાન કેન્દ્ર, વેદોના વિશે શિક્ષા માટે વેદ પાઠશાળા, આવાસ અને એક શૌચાલય પરિસર પણ શામેલ છે.