દેશના સૌથી મોટા અને અમીર મંદિરોમાંથી એક વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. મંદિર તંત્ર પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ વચ્ચે મંદિરના મુખ્ય પૂજારીને હટાવી દેવાયા છે. પૂજારી રમન્ના દિક્ષિતુલુએ આરોપ લગાવ્યો છે કે તિરુપતિ મંદિર તંત્ર દ્વારા મંદિરમાં આવતા ચઢાવાનો દુરુપયોગ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રમન્નાએ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મંદિરના બોર્ડના સભ્યોની પસંદગી CM કરે છે અને મંદિરનું રસોઈઘર જ્યાં હજારો વર્ષોથી પ્રસાદ બનતી હતી. તેને તોડાવીને કરોડોના પ્રાચીન આભૂષણ હીરા ગાયબ કરી દેવાયાનો આરોપ લગાવ્યો છે.
રમન્નાએ આરોપ લગાવ્યો કે તિરુપતિ મંદિરના 100 કરોડ રૂપિયા રાજકીય લાભ માટે ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે.આ આરોપ બાદ પૂજારી રમન્ના દિક્ષિતુલુને હટાવી દેવાયા છે.
પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જ મંદિરના વહીવટદારોની નિમણૂંક કરે છે અને તેથી તેઓ તેમની મનમાની કરી રહ્યા છે.જો કે આ ઘટનાને પગલે દેશના સૌથી અમિર મંદિરોમાં સ્થાન પામનાર બાલાજી મંદિરના પૂજારી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવતા વાતાવરણ ગરમાયું છે. ત્યારે હવે આગામી સમયમાં શું થાય છે ઘટના તે હવે જોવું જ રહ્યું.