ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે કહ્યું કે જે રીતે હાલમાં પીએમ મોદી દેશમાં કામ કરી રહ્યા છે તે જોઈને લોકો તેમની જયજયકાર કરશે.
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની મોદીચાલીસા
પીએમ મોદીને ભગવાન રામ અને કૃષ્ણની સમકક્ષ ગણાવ્યા
મોદી હૈ તો મુમકિન હૈ: ઉત્તરાખંડના નવા CM
ઉત્તરાખંડના નવનિર્વાચિત મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે એક મોટુ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે પીએમ મોદી તો ભગવાન જેવા છે, આ મામલે તેમની તુલના મુખ્યમંત્રીએ ભગવાન રામ એનએ કૃષ્ણની સાથે કરી નાખી હતી, આ સમયે તેમણે કહ્યું હતું કે જે રીતે ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણને લોકો તેમના કામોના લીધે ભગવાન માણવા લાગ્યા હતા, તેવી જ રીતે પીએમ મોદીને આવનાર સમયમાં લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા લાગશે. તીરથસિંહ રાવતે હરિદ્વાર,અ હંસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેત્રકુંભ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
પીએમ મોદી ચમત્કારિક માણસ, લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ પૂજશે : તીરથસિંહ રાવત
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવત આજે હરિદ્વારના એક કાર્યક્રમમાં પીએમ મોદીના વખાણ કરતાં એટલા ભાવુક થઈ ગયા હતા કે તે એમને કળિયુગના ભગવાન રામ માનવા લાગ્યા, અને કહ્યું કે પીએમ મોદી એક ચમત્કારિક વ્યક્તિ છે, તેમણે કામોને એવી રીતે કરી દેખાડ્યા છે કે જે ભારતના પહેલાના રાષ્ટ્રદ્યક્ષોને દુનિયામાં કોઈ ખાસ માન સમ્માન મળતું નહોતું, પણ આજે દુનિયાભરના મોટા મોટા નેતાઓ પીએમ મોદીની સાથે માત્ર ફોટો પડાવવા માટે ઉત્સાહિત રહે છે.
આ સિવાય આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતું કે આવનારા સમયમાં લોકો પીએમ મોદીને ભગવાનની જેમ જ માણવા લાગશે, કારણ કે વડાપ્રધાન જે રીતે હાલમાં દેશમાં કામ કરી રહ્યા છે તેને જોઈને તો લોકોએ તેમની જયજયકાર કરવી જોઈએ. સાથે તેમણે કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ.