જૂની પંરપરા અનુસાર ઘરમાં સુખ-સમુદ્ઘિ જાળવી રાખવા કેટલાક ખાસ ઉપાય આપવામાં આવ્યા છે. જે લોકો આ કામ કરે છે તેમના જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો શુભ ગણાય છે. જો ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન હોય તો તેના પર સોના ચાંદી તાંબા કે પંચધાતુમાંથી બનેલ સ્વસ્તિક લગાવવો જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અમે સકારાત્મક ઉર્જા વધે છે. જ્યોતિષી અનુસાર ઘરમાં કેટલીક નાની-નાની ટિપ્સ ધ્યાનમાં રાખવાથી ચોક્કસ ધનલાભ મળે છે.
તિજોરીનું મુખ ઉત્તર પૂર્વ દિશામાં હોય તો શુભ ગણાય છે. તિજોરીના દરવાજા પર કમળનવા આસાન પર બેસેલા લક્ષ્મીજીનો ફોટો લગાવવાથી ધનલાભ થાય છે.
ઘરના મુખ્ય દરવાજાની બહાર તુલસી રાખો અને રોજ સવારે જળ ચઢાવી અને સાંજે દીવો કરો.
ઘરમાં તુલસીથી પરિવારમાં આત્મવિશ્વાસ અને સુખ-સમૃદ્ઘિ વધે છે. નિયમિત તેની સેવા પણ કરવી જોઇએ. તુલસીની આસપાસ સફાઇ કરવી અને પીળાં પડી ગયેલા પાન દૂર કરવાં.
ઘરમાં સુખ-શાંતિ બતાવતા સુંદર ફોટો જ રાખવા. નકારાત્મકતાનો સંદેશ આપતા ફોટો ક્યારેય ન રાખવા જોઇએ.
રોજ સાંજે આખા ઘરમાં રોશની કરવી જોઇએ. ઘરના દરેક ખૂણાને સાફ રાખવો.નકારાત્મક ઉર્જાનો નષ્ટ થશે.
ઘરની દિવાલો પર તિરાડ પડે તો જલ્દીથી રિપેર કરાવવી લેવી નહી તો વાસ્તુ દોષ વધે છે.
ઘરમાં નકામો સામાન વિજળીના બંધ થઇ ગયેલા ઉપકરણો રાખવાથી શાંતિને હણાઇ જાય છે અને દુ:ખોમાં વધારો થાય છે.