દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના આરાધ્ય દેવની સાચા મનથી પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો સાચા મનથી પૂજા કર્યા બાદ પણ ક્યારેક પૂજામાં થયેલી ભૂલોના કારણે પૂજાનું ફળ મળી શકતું નથી અને એનાથી વિપરીત પરિણામ પણ હોઇ શકે છે. એટલા માટે અમે તમને આજે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતોની જાણકારી જણાવવા જઇ રહ્યા છીએ.
જો તમે ભગવાન ગણેશજીની પૂજા કરો છો તો ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ તુલસીના પાન ચઢાવશો નહીં. ગણેશજીને ચઢાવવામાં આવતો ભોગ પણ તુલસીના પાન વગરનો હોય ધ્યાન આપો.
શિવ ભગવાનની ત્રણ પરિક્રમા કરવી જોઇએ, ભગવાન શ્રી ગણેશજીની ત્રણ અને વિષ્ણુ ભગવાનની ચાર પરિક્રમા કરવી જોઇએ.
ચામડાની કોઇ વસ્તુ જેમ કે બટવો અથવા બેલ્ટ પહેરીને પૂજામાં જવું જોઇએ નહીં. સાથે જ પૂજા સ્થળ પર સફાઇ અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કોઇ પણ વ્યક્તિએ ચંપલ પહેરીની પૂજા સ્થાનમાં પ્રવેશ કરવો જોઇએ નહીં.
પૂજા માટે ફૂલ હંમેશા ન્હાયા બાદ જ તોડવા જોઇએ. વાયુ પુરાણ અનુસાર દેવતા એવા ફૂલોને ગ્રહણ કરતા નથી જે ન્હાયા પહેલા તોડવામાં આવ્યા હોય.
ભગવાન માટે કરવામાં આવેલા દીવાને જાતે ક્યારે ઓલવવો જોઇએ નહીં.
ભગવાનને ક્યારેય જૂનું પાણી અથવા સૂકાયેલું ફૂલ અર્પિત કરવું જોઇએ નહીં. ગંગાજળ અને તુલસીના પાન ક્યારેય વાસી હોતા નથી. એમને ગમે ત્યારે પૂજામાં લઇ શકાય છે.