જ્યારે આપણે કોઇ જગ્યાએ ફરવા અથવા તો કોઈ લાંબી યાત્રા પર જઈએ છીએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ એ જ આવે છે કે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરીશું. કારણ કે યાત્રા દરમિયાન ખોરાકનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો ભોજનમાં થોડી પણ ચૂક થઇ જાય તો પેટની સમસ્યાઓ થઇ શકે છે. જેમકે, ઝાડા, કબજીયાત, એસિડિટી, ઊલટી વગેરે. જેથી જો તમે કોઇ જગ્યાએ ફરવા જઇ રહ્યાં છો તો તમારે તમારા ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ માટે બની શકે તો તમારે યાત્રા સમયે વધારે તળેલા ભોજનથી દૂર રહેવું જોઇએ કારણ કે, તળેલું ભોજન તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમારું પેટ જ ઠીક નહીં હોય તો તમારી યાત્રાની મજા બગડી જશે. સાથે જ, જ્યાં તમે ફરવા જઇ રહ્યા છો ત્યાં તમે સરખી રીતે ફરી નહીં શકો અને આખા પ્રવાસ દરમિયાન, પાચનની સમસ્યાઓ, ઊલટી, ઝાડા વગેરેની તકલીફો થશે. જેથી આજે અમે તમને ઊલટી માટેના ખાસ ઉપાયો જણાવી રહ્યાં છે. જેનો તમે યાત્રા દરમિયાન અથવા તો ગમે ત્યારે ઊલટીની સમસ્યા થાય ત્યારે ઉપયોગ કરી શકો છો.
આ બાબતોનું ધ્યાન રાખો
જો તમને યાત્રા દરમિયાન ઊલટીની સમસ્યા થતી હોય તો તમારે કોઈ મોટા વાહનની પાછળની સીટ પર બેસવાનું ટાળવું જોઈએ. પાછળની સીટ પર ધક્કા અને ખાડાંનો વધુ એહસાસ થાય છે જેથી આવા લોકોએ હમેશાં ફ્રંટ સીટ પર જ બેસવું.
બુક્સ ન વાંચવી
ટ્રાવેલિંગ દપમિયાન ઊલટી અને ગભરામણની સમસ્યા થતી હોય તો ભૂલથી પણ મોબાઈલ ન વાપરવો, બુક્સ ન વાંચવી જોઈએ. આનાથી મગજને ખોટો મેસેજ મળે છે અને સિસ્ટમ બગડે છે.
તાજી હવા
જો તમે વધુ સમસ્યા થઈ રહી હોય તો ગાડી અથવા વાહનની વિન્ડો ખોલીને મોઢું થોડું બહાર તરફ કરીને તાજી હવા લો. આનાથી તમને સારું ફીલ થશે.
ખાલી પેટ યાત્રા કરવી નહીં
ઘણાં લોકો એવું માને છે કે, ખાલી પેટ યાત્રા કરવાથી ઊલટી અને ગભરામણ થતી નથી. પરંતુ આ એકદમ ખોટી વાત છે. જે લોકો કંઈપણ ખાધા વિના યાત્રા પર નીકળી જાય છે તેમને સૌથી વધુ મોશન સિકનેસ થાય છે. પણ એનો મતલબ એવો પણ નથી કે તમે હેવી ડાયટ લો. આ સમસ્યાથી બચવા ઘરેથી નીકળો ત્યારે હળવો ખોરાક ખાઈને નીકળો.
કરો આ ઉપાય
ટ્રાવેલિંગ દરમિયાન અથવા ગમે ત્યારે તમને ઊલટી અને ગભરામણ જેવું ફીલ થાય તો તરત જ એક લીંબુ કાપીને તેને સૂંઘો. આનાથી તમને ફ્રેશ ફીલ થશે અને ગભરામણ ઓછી થઈ જશે. આ સિવાય તમે લીંબુના અડધાં ફાડા પર મીઠું ભભરાવી તેનો રસ પણ લઈ શકો છો. તેનાથી પણ આરામ થશે.
ટ્રાવેલિંગ દરમિયાન ખાસ થોડાં લવિંગ શેકીને તેને પીસીને એક ડબ્બીમાં ભરીને તમારી પાસે રાખો. જ્યારે પણ તમને ઊલટી જેવું ફીલ થાય ત્યારે એક ચપટી સિંધવ મીઠું અથવા ખાંડ સાથે તેનું સેવન કરી લો. તરત આરામ મળશે.
આ સિવાય જ્યારે પણ ઊલટી જેવું થાય તમે થોડાં તુલસીના પાન ચાવી શકો છો અથવા તો એક નાની બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ લઈ તેમાં થોડું સિંધવ નાખીને તેનું પણ સેવન કરવાથી તરત આરામ મળશે.
જો તમે બસમાં ટ્રાવેલ કરી રહ્યાં છો તો તમે જ્યાં બેઠા છો ત્યાં અખબાર પાથરી તો આ ઉપાયથી પણ તમને ઊલટી જેવું નહીં થાય.