જો તમે નેચરલી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માંગો છો અને ઈમ્યૂનિટી સારી કરવા માંગો છો તો અહીં જણાવેલા ઉપાય કરો.
ઝડપથી ઈમ્યૂનિટી વધારવી હોય તો કરો આ કામ
ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા ઈમ્યૂનિટી સારી હોવી જરૂરી છે
રોજ આ કામ કરશો તો થશે ગજબની અસર
લોહી માનવ શરીરનો સૌથી મોટો ભાગ છે. તમારા આખાં શરીરમાં ન્યૂટ્રિઅન્ટ્સ, ઇલેક્ટોલાઇટ્સ, હોર્મોન્સ, હીટ અને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય લોહી જ કરે છે. તમારા શરીરના વિવિધ ભાગોને સ્વસ્થ રાખવા અને ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા પ્રદાન કરવાનું કામ પણ લોહી જ કરે છે. સાથે જ બ્લડના યોગ્ય સર્કુલેશન માટે તમારું બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બલ્ડ શુગર, બ્લડ ટાઇપ અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો 5 એવા કામ વિશે જે બોડીમાં ઈમ્યૂનિટી વધારશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધારશે.
વોક
સવારે, સાંજે અથવા રાત્રે ભોજન કરી લીધાના અડધા કલાક પછી કે પહેલાં વોક કરવા જવું. વોક પર જવાથી તમારું બ્લડ સર્કુલેશન યોગ્ય પ્રમાણમાં અને સરખી રીતે થશે. સાથે જ, તમને તાજગીનો અનુભવ થશે. આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે.
પાણી
પાણીને એક પ્રાકૃતિક ઔષધિ માનવામાં આવે છે. પાણી શરીરમાં થતી દરેક સમસ્યાનું નિવારણ કરી શકે છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ શરીરને સ્વસ્થ રાખે છે અને અને ઓછી માત્રામાં પાણી શરીરને નબળું બનાવી શકે છે. વધારે માત્રામાં શુદ્ધ જળનું સેવન કરવાથી શરીરમાં ભેગા થયેલાં વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને પ્રતિરોધક ક્ષમતા વધે છે. પાણી અથવા તો સામાન્ય તાપમાન હોવું જોઇએ અથવા થોડું નવશેકું હોવું જોઇએ. ફ્રિજના પાણીનું સેવન બને ત્યાં સુધી ન કરવું.
સાઇક્લિંગ
સાઇક્લિંગ એ બેસ્ટ કસરત છે. સાઇક્લિંગ બ્લડ સર્કુલેશન વધારે છે. રોજ સાઇક્લિંગ કરવાથી તમારા પગના મસલ્સ શેપમાં આવી જશે. જે લોકો ખૂબ જ ઓછી એક્સરસાઇઝ કરે છે તેવા લોકો માટે સાઇક્લિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. જ્યારે તમારું બ્લડ સર્કુલેશન યોગ્ય પ્રમાણમાં થઇ જાય ત્યારે તમારી ઇમ્યૂનિટી પાવર આપમેળે જ વધી જાય છે.
મસાજ
મસાજ શરીરને રિલેક્સ કરવા માટેની એક ખૂબ જ સારી પ્રક્રિયા માનવામાં આવે છે. નાના-બાળકોથી લઇને મોટા લોકો સુધી મસાજ બધાને પ્રિય હોય છે. મસાજ કરવાથી શરીરના અંગોમાં બ્લડ સર્કુલેશન વધે છે. બ્લડ શરીરના સોફ્ટ ટિશ્યૂમાં જાય છે. મસાજ કર્યા પછી આખા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવ થવા લાગે છે. થાક ઉતરી જાય છે અને સાથે જ શરીરમાં રહેલ તણાવ દૂર થઇ જાય છે.
યોગ
યોગ અને પ્રાણાયમ શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કોઇ જાણકાર પાસેથી તેને શીખીને દરરોજ ઘરે તેનો અભ્યાસ કરવો જોઇએ. યોગથી બ્લડ સર્કુલેશન ખૂબ જ વ્યવસ્થિત થવાની સાથે જ તેનાથી ઈમ્યૂન સિસ્ટમ પણ બૂસ્ટ થાય છે.