બાળકો ચીડચીડયા બનવા ઘણીવાર સામાન્ય બાબત છે. પરંતુ વાત-વાત પર જ્યારે બાળક ગુસ્સો કરવા લાગે અને ગુસ્સામાં ઘણીવાર સામાન ફેંકવો અને વસ્તુઓ તોડી નાંખવી જેવા લક્ષણ જો જોવા મળે છે તો આપે સાવધાન થઇ જવાની જરૂર છે.
સામાન્ય ગુસ્સો જ્યારે અસામાન્ય બની જાય ત્યારે બાળકોને આપની સાથે સાઇકોલોજિસ્ટ પાસે લઇ જવાની જરૂરી છે. બાળકોમાં આ પરિવર્તન બે કારણે આવી શકે છે. પહેલું તો તેના હોર્મોન્સમાં કેટલાક અસામાન્ય બદલાવ તથા બીજુ કે જે વાતાવરણમાં તેનો ઉછેર થઇ રહ્યો છે તેમાં ખામી હોવી.
અહીં આપેલા કેટલાક ઉપાય દ્વારા આપ આપના બાળકોમાં આવેલ એગ્રેશન ઓછો કરી શકો છો.
આ ઉંમરે ચીડીયાપણુંને સમજો
5થી 8 વર્ષના બાળકોમાં ચીડીયાપણું થવાના ત્રણ કારણ હોય છે. પહેલું કે, એમને લાગે છે કે એમને એના ભાઇ-બહેનને વધારે પ્રેમ મળે છે. બીજુ કે તેમની ડીમાન્ડ પૂરી નથી થતી ત્યારે, તથા વારંવાર મારવામાં આવે છે. ત્રીજુ કારણ તેમની સાથે નો સેક્સુઅલ અસાલ્ટ. આપે આ બાબતોને સમજવી પડશે અને તેમના ગુસ્સાનું કારણ દુર કરવું પડશે.
14થી 25 વર્ષના ઉંમરના બાળકોમાં સામાન્યપણે ગુસ્સો પેરેન્ટ્સના બિહેવને કારણે આવે છે. વારંવાર ટોકવું, ભૂલ પર ખુબ જ ઠપકો આપવો, જાહેરમાં અપમાન કરવું, કરીયરને લઇને ઠપકો આપવો વગેરે હોય શકે છે.
હોર્મોન્સમાં બદલાવ પણ હોય છે ગુસ્સાનું કારણ
હોર્મોન્સમાં અસંતુલન થવું પણ ગુસ્સો અને ચીડીયાપણુંનું મોટું કારણ હોય છે. ટીનએજર્સમાં ઘણી હાઇ લેવલની એનર્જી હોય છે. જ્યારે આ એનર્જી યોગ્ય જગ્યાએ યૂટિલાઇઝ કરવામાં આવતી નથી તો ગુસ્સા રૂપે બહાર આવે છે આથી તેમને કોઇ એક્સ્ટ્રા કરિક્યૂલર એક્ટિવિટિઝ માટે પ્રોત્સાહિત કરો.
પોઝિટીવ રીતે કરો કંટ્રોલ
બાળકો જ્યારે ગુસ્સો કરે છે તો પેરેન્ટ્સને પણ ગુસ્સો આવે તે જાહેર છે. પરંતુ પેરેન્ટેસ કંટ્રોલ કરવું જોઇએ. જો બાળકો પર ગુસ્સો કરવામાં આવશે તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે. જ્યારે તે શાંત થાય ત્યારે તેને સમજાવવા જોઇએ. તેમને વધુને વધુ ફિઝિકલ એક્ટિવિટીમાં વ્યસ્ત રાખવા જોઇએ.
નાના બાળકોને પ્રેમ આપો-વાત કરો
3થી 10 વર્ષના બાળકોને માતાપિતાનો પ્રેમ જરૂરી હોય છે. જ્યારે એ નથીં મળતો તો બાળકમાં ચીડીયાપણું આવવા લાગે છે. તેથી જ્યારે પણ બાળક અચાનક ચીડચીડીયું નજરે પડે છે તો તેને ખુબ જ પ્રેમ આપો. તેના મનની વાત જાણવા પ્રયત્ન કરવો જોઇએ.
સાઇકોલોજિસ્ટની હેલ્પ લો
જો આપને લાગે છે કે આપના બાળકમાં તમામ પ્રયાસ કરવા છતા કોઇ બદલાવ નથી આવી રહ્યો તો સાઇકોલોજિસ્ટની હેલ્પ લેવી જોઇેએ. ક્લિનીકલ સાઇકોલોજિસ્ટ આપના બાળકની સમસ્યાને સમજીને તેનો ઇલાજ કરશે. જે બાળકના ભવિષ્યને બગડવાથી બચાવી શકે છે.
ઘરનું વાતાવરણ સુધારવું
જો ઘરમાં લડાઇ-ઝગડા અથવા તો તણાવનો માહોલ છે તો એક સ્વસ્થ્ય બાળક પણ માનસિક રૂપે બીમાર થઇ શકે છે. તેના બાળ મન પર તેનો ઘણો પ્રભાવ પડે છે. તેથી ઘરનું વાતાવરણ હંમેશા પોઝિટીવ રાખવું જોઇએ.