નિયમિત રીતે ઘરના મંદિરમાં પૂજા કરવા પર શુભ ફળ મળે છે અને વાતાવરણ પવિત્ર રહે છે જેનાથી મહાલક્ષ્મી સહિત તમામ દેવીઓ પ્રસન્ન રહે છે અને ઘરમાં તેમની કૃપા બની રહે છે. જાણો કેટલીક એવી જ વાતો જે ઘરના મંદિરથી જોડાયેલી છે...
જો મંદિરની આસપાસ બાથરૂમ હશે તો..
ગરૂડ પુરાણ અનુસાર ઘરના મંદિરની આસપાસ શૌચાલય ન હોવું જોઇએ. જેના કારણે ઘરમાં દોષ વધે છે. આ માટે ઘર ખરીદતા સમયે ધ્યાન રાખો કે પૂજા રૂમમાં કે તેની આસપાસ બાથરૂમ ન હોય.
જે લોકો ઘરના મંદિરની આસપાસ બાથરૂમ છે તો મંદિરની જગ્યા બદલી દેવી જોઇએ. જો સંભવ ન હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા માટે બંધ રાખવો જોઇએ અને તેના પર પડદો રાખવો જોઇએ. ધ્યાનમાં રાખો કે આ પડદાંને થોડા-થોડા દિવસે ધોતા રહેવો જોઇએ આવું કરવાથી પણ દોષ ઓછો થઇ જશે.
આ વાતનું ધ્યાન ન રાખવા પર નકારાત્મકતા વધે છે અને ઘરમાં ગરીબી આવે છે. દેવી-દેવાતાઓનો ઘરમાં વાસ નહી થાય અને આ કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે.
મંદિર સુધી પહોંચવી જોઇએ સૂર્યનું ઉજવાળું:
ઘરમાં મંદિર એવા સ્થાન પર હોવું જોઇએ જ્યાં સૂર્યનું ઉજવાળું પહોંચતું હોય. જે ઘરોમાં સૂર્યની રોશની અને હવા આવે છે તે ઘરોમાં દોષ શાંત રહે છે. સૂર્યની રોશનીથી વાતારવણમાં નકારાત્મક ઉર્જા ખત્મ થઇ જાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.
પૂજા કરતા સમયે કઇ દિશામાં હોવા જોઇએ તમારી બેઠક:
ઘરમાં પૂજા કરનાર વ્યકિતનું મોઢું પ્રશ્ચિમ દિશાની તરફ હોવું શુભ માનવામાં આવે છે. આ માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વની તરફ હોવું જોઇએ. જો આ સંભવ ન હોય તો પૂજા કરતા સમય વ્યકિતનું મોઢું પૂર્વ કે ઉત્તર દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે.
પૂજાકક્ષમાં ન લઇ જવી જોઇએ આ વસ્તુઓ:
ઘરના જે સ્થાન પર મંદિર છે ત્યાં ચામંડાથી બનેલી વસ્તુઓ બૂટ-ચંપલ ના લઇ જવા જોઇએ. મંદિરમાં મૃતકો અન પૂર્વજોના ફોટો પણ ન મૂકવા જોઇએ. પૂર્વજોના ફોટો દક્ષિણ દિશા તરફ લગાવવા જોઇએ પરંતુ મંદિરમાં ન રાખવા જોઇએ. પૂજાકક્ષમાં પૂજાથી સંબંધિત સામગ્રી રાખવી જોઇએ. અન્ય કોઇ વસ્તુ રાખવાથી બચવું જોઇએ.