એવું કહેવામાં આવે છે કે દેવી મા જ્યારે હાથી પર સવાર થઈને આવે છે તો ખૂબ જ વધારે વરસાદ અને ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. અન્ન-ધનથી લોકોનું ઘર ભરાઈ જાય છે.
નવરાત્રીમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે
તેને ઘણા શુભ સંકેતો સાથે જોડવામાં આવે છે
અન્ન-ધનથી ભરાઈ જાય છે લોકોના ઘર
આ વર્ષે શારદીય નવરાત્રીમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. માતા દુર્ગા જ્યારે હાથી પર સવાર થઈને આવે છે તો ઘણા શુભ સંકેતો તેની સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે દેવી માતા હાથી પર સવાર થઈને આવે છે તો ખૂબ વધારે વરસાદ પડે છે અને ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે. અન્ન-ધનથી લોકોના ઘર ભરાઈ જાય છે. જ્યોતિષોનું કહેવું છે કે જો આ શારદીય નવરાત્રીમાં આપણે ધાતુનો એક નાનકડો હાથી ઘરે લઈને આવીએ તો તેનો ઘણા ચમત્કારી લાભ મળી શકે છે.
પીતળનો હાથી
વાસ્તુ અનુસાર બેઠકમાં જો પીતળનો એક નાનકડો હાથી મુકવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પીતળનો હાથી ન ફક્ત નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પરંતુ સફળતાના રસ્તા પણ ખોલી દે છે.
હાથીની તસવીર
ઘરના લિવિંગ એરિયામાં જો હાથીની તસવીર અથવા પ્રતિમા મુકવામાં આવે તો આવકમાં વૃદ્ધિ થાય છે. ધ્યાન રાખો કે આ તસવીર અથવા મૂર્તિમાં હાથીની સૂંડ ઉપરની તરફ ઉઠેલી હોવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. હાથીની તસવીર અથવા પ્રતિમાને ઉત્તર દિશામાં લગાવવી વધારે શુભ માનવામાં આવે છે.
ચાંદીનો હાથી
ઘરમાં તિજોરી અથવા પૈસાની જગ્યા પર ચાંદીનો હાથી રાખવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ પ્રબળ બને છે. જો કોઈ જાતકની કુંડળીમાં પંચમ અને દ્વાદશ ભાવમાં રાહુ પરેશાન કરી રહ્યો છે તો તેમાં પણ રાહત મળે છે.
બેડરૂમમાં હાથીના જોડા
વાસ્તુ અનુસાર, બેડરૂમમાં હાથીના જોડા મુકવાથી દાંપત્ય જીવનમાં ખુશી આવે છે. તેનાથી પતિ-પત્નીની વચ્ચે ચાવી રહેલી ખટપટ પુરી થઈ જાય છે. જો તમે પાર્ટનરની સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માંગો છો તો પોતાના બેડરૂમમાં આ એક વચ્ચુ જરૂર મુકો.