રેલવે અધિકારીએ જાણકારી આપી હતી કે પશ્ચિમ રેલવેએ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકને ધ્યાનમાં રાખીને 25 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કારણે 25 ટ્રેનોના સમયમાં ફેરફાર
રેલવેએ આપી માહિતી
કેટલી ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યો? જાણો
જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઘણા કામના છે, જણાવી દઈએ કે હાલ રેલવેએ ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે એટલા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરતાં લોકોએ ઘરથી નીકળતા પહેલા આ વિશે જાણવું જરૂર છે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી હતી કે પશ્ચિમ રેલવેએ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકને ધ્યાનમાં રાખીને 25 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.
રેલવેએ આપી માહિતી
રેલવેએ આ માહિતી આપવા માટે જાહેરનામું રિલીઝકર્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. આ હેઠળ ગુજરાતના વાપી અને અમદાવાદ રેલ્વે સ્ટેશન વચ્ચેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે, '20901/02 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ચાલવાને કારણે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.' માહિતી આપતાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે' ટ્રેનના સમયમાં ફક્ત થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથેનું નવું સમયપત્રક આગામી થોડા દિવસોમાં અમલી બનશે. '
કેટલી ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યો?
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, હાવડા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર હમસફર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-રામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિત 25 ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.
ભારતની હાઇ સ્પીડ ટ્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 30 સપ્ટેમ્બરે ગુજરાતની રાજધાનીથી હાઇ સ્પીડ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી અને બીજા દિવસથી તેનું વ્યાવસાયીક સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી એક હાઇ-સ્પીડ ટ્રેન છે જે મુખ્ય શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવા માટે ઘણા રૂટ પર શરૂ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી વંદે ભારત કુલ પાંચ મોટા શહેરોના રૂટ પર કાર્યરત છે અને તમામ વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે.