ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો આજે રાતે 11 વાગ્યાથી જ કડક અમલ શરૂ થશે.
ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવાયા
આજે રાતે 11 વાગ્યાથી રાત્રીકર્ફ્યૂનો થશે કડક અમલ
31stની નહીં થઈ શકે જાહેર ઉજવણી
ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલાની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
31stની નહીં થઈ શકે જાહેર ઉજવણી
આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.
રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ
31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી
કોરોનાના કેસોમાં વધારો થતા સરકારે લીધો નિર્ણય
શહેરોમાં વેપાર ધંધા રાતે 11 વાગ્યા અગાઉ થશે બંધ
રાતે એક વાગ્યાને સ્થાને હવે 11 વાગ્યાથી લાગૂ થશે કર્ફ્યૂ
ગઈકાલે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા હતા
એક દિવસમાં 100થી વધુ કેસ નોંધાતા સરકાર અલર્ટ
નિયમોનું પાલનમાં છૂટછાટ લેવી પડી શકે છે મોંઘી
રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે પોઝિટિવિટી દર 6.1 ટકા છે. તેથી, આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણે નિયમોમાં ઢીલાશ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં સપ્તાહ-દર-અઠવાડિયે કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયામાં હજુ પણ સપ્તાહ-દર-અઠવાડિયે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.
બે દિવસમાં કોરોનાના આંકડા વધ્યા
આરોગ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન અને કોરોનાવાયરસ કેસની વધતી સંખ્યા સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ સામાન્ય જનતા પોતાના ધૂનમાં જોવા મળી રહી છે. તેમણે કહ્યું, ઓમિક્રોનના મુંબઈમાં 35 અને મહારાષ્ટ્રમાં 88 દર્દીઓ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડામાં પણ વધારો થયો છે. 23 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં 1,179 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. તે જ સમયે, મુંબઈમાં 602 કેસ નોંધાયા હતા, જ્યારે 1નું મોત થયું હતું. 22 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 953 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.
5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ
ભૂષણે કહ્યું કે, દેશમાં 20 જિલ્લા એવા છે જ્યાં કેસ પોઝિટિવિટી રૅટ 5-10 ટકા જેટલો છે, જેમાં 9 કેરળમાં અને 8 મિઝોરમમાં છે. 2 જિલ્લા એવા છે જ્યારે કેસ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આ બંન્ને જિલ્લાનો મિઝોરમમાં સમાવેશ થાય છે. તો સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 5 રાજ્ય કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે.
રાત્રે 11થી 5 શું શું રહેશે બંધ?
તમામ દુકાન
રેસ્ટોરન્ટ
વાણિજ્યક સંસ્થાઓ
લારી-ગલ્લાઓ
શોપિંગ કોમ્પ્લેક્સ
માર્કેટિંગ યાર્ડ
અઠવાડિયક ગુજરી/બજાર/હાટ
હેર કટીંગ સલૂન
બ્યુટી પાર્લર
તમામ વ્યાપારિક ગતિવિધિ
થિયેટરો
ઓડીટોરીયમ
અસેમ્બલી હોલ
વોટર પાર્ક
જાહેર બાગ-બગીચા
મનોરંજક સ્થળો
સલૂન
સ્પા
સ્વિમિંગ પુલ
જીમ
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે.
કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
અનાજ તથા મસાલા દળવાની ઘંટી
ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
પોસ્ટ અને કુરીયર સર્વિસ
ખાનગી સિક્યુરીટી સેવા
પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.