ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે હવે એ સમય આવી ગયો છે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-૩૭૦ અને ૩પ-એની સમીક્ષા કરવામાં આવે. તેમણે કહ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે અમે તેની સમીક્ષા કરીશું. રાજનાથસિંહે કહ્યું કે અમે અમારું દિલ મોટું કર્યું અને જમ્મુ-કાશ્મીર જઇને દિલ ખોલીને બધાં સાથે વાર્તા કરી અને કાશ્મીરની સમસ્યાનો હલ કાઢવાના પ્રયાસો કર્યા.
ઉત્તરપ્રદેશની લખનૌ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે હવે એ સમય આવી ગયો છે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-૩૭૦ અને ૩પ-એની સમીક્ષા કરવામાં આવે. તેમણે કહ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે અમે તેની સમીક્ષા કરીશું. રાજનાથસિંહે કહ્યું કે અમે અમારું દિલ મોટું કર્યું અને જમ્મુ-કાશ્મીર જઇને દિલ ખોલીને બધાં સાથે વાર્તા કરી અને કાશ્મીરની સમસ્યાનો હલ કાઢવાના પ્રયાસો કર્યા.
અત્યાર સુધી સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીર જનાર ગૃહપ્રધાન હું છું અને હવે સમયની માગ છે કે કલમ-૩૭૦ અને ૩પ-એની સમીક્ષા કરવામાં આવે. ગૃહપ્રધાને શિવશાંતિ આશ્રમ-શિંગારનગર કાર્યક્રમમાં કહ્યું કે એ શક્ય છે કે પાંચ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા જેટલું કામ થયું છે તેની પ્રશંસા દેશમાં નહીં, પરંતુ વિશ્વમાં કરાઇ રહી છે.
હવે વિશ્વના દેશોમાં ભારત પ્રત્યેની વિચારધારા બદલાઇ રહી છે અને ચિત્ર બદલાઇ રહ્યું છે. આજે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ આર્થિકવૃદ્ધિ કરનારો દેશ મનાય છે. જો આ રીતે આર્થિક વિકાસ જારી રહેશે તો આપણે ર૦૩૦ સુધીમાં વિકિસત રાષ્ટ્રની શ્રેણીમાં આવી જઇશું.
રાજનાથસિંહે એમ પણ કહ્યું કે આજે દેશમાં નકસલવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ ઘટ્યો છે. પહેલાં જવાન વધુ મરતા જ્યારે આતંકવાદી અને નક્સલવાદી ઓછા મરતા હતા, પરંતુ હવે દૃશ્ય બદલાયું છે. નક્સલવાદ માત્ર પાંચથી સાત જિલ્લા સુધી સીિમત રહ્યો છે. પૂર્વોત્તરનાં રાજ્યમાં પાંચ વર્ષમાં કોઇ મોટી આતંકી ઘટના બની નથી.